ઉનાના સનખડા ગામે આડાસંબંધો બાબતે પિતરાઈ સગાઓ દ્વારા યુવાનની હત્યા

  • July 13, 2023 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાના સનખડા ગામે પરિણીતા અને તેના પતિનો પિતરાઈ ભાઈ એક માસ ગુમ થયા બાદ દુધાળા-માણેકપુર રોડ ઉપર કાંટાની વાડમાં છુપાયેલા મળી આવતા પાંચ જેટલા શખસોના હુમલાથી ગંભીર ઈજા થતાં મૃત્યુ થવાથી બનાવ હત્યામાં પલટાયો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
​​​​​​​
જાણવા મળતી વિગત મુજબ સનખડા ગામના દોલુભાઈ ધી‚ભાઈ ઝાલા તેની પત્ની અને બે દિકરા એક દિકરી સાથે રહેતા હોય અને આ યુવાનની તેના જ પિતરાઈ ભાઈની પત્ની સાથે આંખ મળી જતાં સંબંધો બંધાયા હતા અને એક માસ પહેલા દોલુભાઈ ઝાલા તેના પિતરાઈ ભાઈની પરિણીત પત્નીને લઈ નાસી ગયો હતો અને એકાદ માસ બાદ બન્ને સનખડા ગામે આવેલ હોવાનું પરિવારજનોને જાણ થતાં એકઠા થયા હતા અને પાંચેક શખસો દોલુભાઈ તેમજ તેના સાથે નાસી ગયેલી મહિલાની શોધખોળ કરવા માણેકપુર દુધાળા રોડ પર ગયા હતા. અને ત્યાં કાંટાળી વાળની વાડમાં છુપાયેલ હોય તેને શોધી કાઢી તેના પર પાંચેક જેટલા શખસોએ જીવલેણ હુકલો કરી દીધો હતો. બેભાન હાલતમાં લોહીલુહાણ પડેલા દોલુભાઈ ઝાલાને તેના કુટુંબીજનો સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવતા પ્રાથમીક સારવાર આપ્યા બાદ રાજકોટ રીફર કરેલ અને રસ્તામાં જ તેનું મોત થયું હતું. તેના મૃતદેહને પરત ઉના લાવવામાં આવ્યો હતો.  આ ઘટનાની જાણ નવાબંદર મરીન પોલીસને થતાં પીએસઆઈ વોરા તેમજ પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. તેમજ જિલ્લા એલસીબી તેમજ પોલીસ કાફલો ઉના દોડી આવી તપાસનો ધમધમાટ શ‚ કર્યો હતો અને મરણજનારના પરિવારજનોની ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી હતી.  આ બનાવ પાછળનું કારણ સ્ત્રીપાત્ર કારણભુત હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પોલીસે પાંચ શખસોને રાઉન્ડ અપ કરીને પુછપરછ હાથ ધરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application