ગોકુલનગરમાં વિજશોક લાગતા યુવાનનું મૃત્યુ

  • January 18, 2023 07:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગોકુલનગર મેઇન રોડ પાસે વાયરીંગ કામ કરી રહેલા એક યુવાનને વિજશોક લાગતા મૃત્યુ નિપજયુ હતું.
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ ખોડીયાર પાર્કમાં રહેતા અને ઇલેકટ્રીકનું કામ કરતા જસ્મીત સુરેશભાઇ ભંડેરી (ઉ.વ.૨૭) અને તેમના ભાઇ જયદીપ સુરેશ ભંડેરી (ઉ.વ.૨૯) આ બંને તા. ૧૬ના રોજ ગોકુલનગર મેઇન રોડ પાસે એસ્ટેટમાં વાયરીંગનું કામ કરતા હતા.


એ વખતે જસ્મીતભાઇને વિજશોક લાગતા જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું. આ બનાવની જાણ જયદીપભાઇ દ્વારા સીટી-સી ડીવીઝનમાં ગઇકાલે કરવામાં આવી હતી. યુવાનના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application