આંદોલનની તસ્વીરો જોઈ જજ ગુસ્સે ભરાયા, સરકાર અને ખેડૂતોને આપ્યો ઠપકો, શુભકરણના મૃત્યુની મામલે પંજાબ પોલીસને પણ કર્યા સવાલ
પંજાબ અને હરિયાણામાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને ચંદીગઢની હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે આ મામલામાં વકીલોને ફટકાર લગાવી હતી, જજ આંદોલનની તસવીરો જોઈને ખેડૂતો પર ગુસ્સે થઈ ગયા હતા. સુનાવણી દરમિયાન જ્યારે હરિયાણા સરકારે હાઈકોર્ટને વિરોધમાં અનેક તસવીરો બતાવી ત્યારે કોર્ટનું વલણ કડક થઈ ગયું. કોર્ટે શુભકર્ણના મૃત્યુની તપાસને લઈને મહત્વનો આદેશ પણ આપ્યો હતો. આ દરમિયાન હાઈકોર્ટે કડક શબ્દોમાં પૂછ્યું હતું કે કોણ હાથમાં તલવાર લઈને શાંતિપૂર્વક વિરોધ કરે છે?
આજે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પંજાબ અને હરિયાણા સરકારને ફટકાર લગાવી અને કહ્યું કે બંને રાજ્યો આ સમગ્ર મામલે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. ફોટો જોયા બાદ હાઈકોર્ટે ખેડૂત આંદોલનકારીઓ પર મોટી ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ શરમની વાત છે કે તમે લોકો બાળકોને આગળ મૂકી રહ્યા છો, તમે કેવા માતા-પિતા છો. બાળકોને આગળ રાખી હથિયારો સાથે વિરોધ કરો છો, તમને લોકોને અહીં ઊભા રહેવાનો પણ અધિકાર નથી. હાઈકોર્ટે આંદોલનકારીઓને કહ્યું, શું તમે ત્યાં કોઈ યુદ્ધ કરવા જઈ રહ્યા છો? આ પંજાબની સંસ્કૃતિ નથી. તમે નિર્દોષ લોકોને આગળ કરી રહ્યા છો. આ એકદમ શરમજનક છે.
હાઈકોર્ટે પૂછ્યું કે હાથમાં તલવાર લઈને વિરોધ કરવા કોણ જાય છે? આવા પ્રદર્શનને શાંતિપૂર્ણ ન કહેવાય. હાઈકોર્ટે આંદોલનની તરફેણમાં ઉભા રહેલા વકીલોને પૂછ્યું કે હવે તમે શું કહેશો? ફોટો જુઓ, આ ફોટો જ બધું કહે છે. હાઈકોર્ટે કહ્યું કે પટિયાલામાં પણ આ રીતે એક પોલીસકર્મીનો હાથ કપાયો હતો. કોર્ટે ફરી એકવાર શુભકરણ કેસમાં ૭ દિવસના વિલંબ સાથે એફઆઈઆર દાખલ કરવા બદલ પંજાબ સરકારને ફટકાર લગાવી. હાઈકોર્ટે પંજાબ સરકારને પૂછ્યું કે જો શુભકરણનો મૃતદેહ પંજાબમાં મળ્યો છે તો પછી ઘટનાના ૭ દિવસ પછી પણ ઝીરો એફઆઈઆર કેમ છે ?. કોર્ટે કહ્યું કે ખેડૂત શુભકરણના મૃત્યુની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ કરવામાં આવશે જેના માટે ૩ સભ્યોની કમિટી બનાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવનવિભાગે બરડા અભ્યારણ્યમાંથી બે બુટલેગરોને દબોચ્યા
May 08, 2025 03:26 PMબોર્ડમાં રાજ્યકક્ષાએ પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓના ઈનામમાં રૂ. ૨૦ હજારનો વધારો
May 08, 2025 03:25 PMપોરબંદર જિલ્લામાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 03:25 PMપાકિસ્તાન ઉપરની સ્ટ્રાઈક બાદ પોરબંદર સહિત રાજ્યના માછીમારોને કરાયા સાવચેત
May 08, 2025 03:24 PMસોઢાણા ગામના મહિલા કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી
May 08, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech