લોક સાહિત્યકાર દેવાયત ખવડને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દેવાયત ખવડની વચગાળાની જામીન અરજી કોર્ટે રદ કરી છે. 25 દિવસના વચગાળાના જામીન આપવા કોર્ટમાં ખવડે અરજી કરી છે તેમણે શિવરાત્રી અને લગ્ન પ્રસંગમાં સ્ટેજ કાર્યક્રમ હોવાથી વચગાળાની જામીન અરજી કરી છે .ત્યારે દેવાયત ખવડની આ અરજીને કોર્ટે ફગાવી નાખી."
દેવાયત ખવડ દ્વારા કોર્ટમાં 25 દિવસના વચગાળાના જામીનની અરજી મૂકવામાં આવી છે. જામીન અરજી અંતર્ગત દેવાયત ખવડના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરતા જણાવવામાં આવ્યું છે કે, દેવાયત ખવડ દ્વારા લગ્ન પ્રસંગ તેમજ શિવરાત્રીના કાર્યક્રમો અગાઉ બુક કરવામાં આવ્યા હતા. જે પૈકી ઘણા કાર્યક્રમો એડવાન્સ રકમ લઈને બુક કરવામાં આવ્યા હતા. ત્યારે એડવાન્સ રકમ લઈને બુક કરેલા કાર્યક્રમો રદ થઈ શકે તેમ નથી. કાર્યક્રમ રદ કરવામાં આવે તો પણ જેલ વાસના કારણે પોતે રકમ પરત કરી શકે તે પ્રકારની આર્થિક ક્ષમતા નથી. ત્યારે દેવાયત ખવડની આ અરજીને કોર્ટે ફગાવી નાખી.
અગાઉ પણ કોર્ટે દેવાયત જામીન અરજી ફગાવી હતી
અગાઉ હાઇકોર્ટે દેવાયત ખવડની રેગ્યુલર જામીન અરજી ફગાવી હતી. મહત્વનું છે કે, હાઈકોર્ટ પહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટ દ્વારા ફગાવવામાં આવતા દેવાયત ખવડે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસેન્સેક્સ 80 હજારને પાર થતાં CJI DY ચંદ્રચુડ ખુશ, SEBIને આપી સલાહ
July 04, 2024 03:27 PMરાજકોટ CPનો વિચિત્ર નિર્ણય, પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાને પ્રવેશબંધી
July 04, 2024 03:27 PMશાપર વેરાવળ પાસે આવેલ પારડી ગામ નજીક ટ્રકમાં લાગી આગ
July 04, 2024 03:25 PMરાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ગત રાતે સઘન ચેકીંગ..
July 04, 2024 03:23 PMરાજકોટમાં કોઠારીયા રોડ પર મહાદેવના મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી રોકડ રકમ ગાયબ
July 04, 2024 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech