નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજુ કર્યું છે. આ બજેટમાં એનડીએના સહયોગી દળ જેડીયુ અને ટીડીપીનું વિશેષ ધ્યાન રાખતા કેન્દ્ર સરકાર તરફથી આંધ્રપ્રદેશ અને બિહાર માટે કેટલીક મોટી જાહેરાત કરવામાં આવી છે. બિહાર અને આંધ્રપ્રદેશને મળેલ આ પેકેજ પર જ્યાં વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે આ જાહેરાત મોદી સરકારને બચાવવા માટે કરવામાં આવી રહી છે તો ત્યાંજ બીજી તરફ બિહારના સીએમ નીતીશ કુમાર અને ટીડીપીના સાંસદ અને કેન્દ્રીય મંત્રીએ આ બજેટ પર ખુશી વ્યક્ત કરતા તેને આવકારક પગલું ગણાવ્યું છે.
આ દરમ્યાન આંધ્ર સીએમ ચંદ્રબાબુ નાયડુએ આ બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જે રાજ્ય વેન્ટિલેટર પર ચાલી રહ્યું હતું તેને બજેટે ઓક્સિજન આપવાનું કામ કર્યું છે. પરંતુ આ તો શરુઆત છે. હજુ ઘણુ કામ કરવાનું છે. આ માટે આંધ્રપ્રદેશના લોકો વતી હું પીએમ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર માનું છું. તેમણે આપણા રાજ્યની જરૂરિયાતોને ઓળખી અને નાણાકીય વર્ષ 24-25ના કેન્દ્રીય બજેટમાં રાજધાની, પોલાવરમ, ઔદ્યોગિક ગાંઠો અને આંધ્રપ્રદેશના પછાત વિસ્તારોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કેન્દ્રની આ સહાય આંધ્રપ્રદેશના પુનઃનિર્માણમાં ઘણી મદદરૂપ સાબિત થશે.
બજેટમાં બિહારને મળેલી ભેટ પર બોલ્યા નીતીશ કુમાર
બજેટમાં બિહારને મળેલી ભેટ પર પ્રતિક્રિયા આપતા જેડીયુ નેતા નીતીશ કુમારે કહ્યું કે, અમે શરૂઆતથી જ બિહારના લોકો માટે આર્થિક મદદની માંગ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, અમે સતત કેન્દ્ર પાસેથી વિશેષ રાજ્યના દરજ્જાની પણ માંગ કરી રહ્યા હતા. પરંતુ અમારી એ માંગ હતી કે આ તો અમે વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે અથવા સ્પેશિયલ પેકેજ આપવામાં આવે. આજે સરકાર તરફ જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી અમે ખુશ છીએ અને આ પગલાને આવકારીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech