પ્રાણ-પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરીનો દિવસ જ કેમ પસંદ કરાયો ?

  • January 21, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં રામલલાના અભિષેક માટે કુલ પાંચ તારીખો સૂચવવામાં આવી હતી. તેમાંથી આજની તારીખ એટલે કે ૨૨ જાન્યુઆરીની પસંદગી કરવામાં આવી છે અને આજે પણ પણ માત્ર ૮૪ સેકન્ડનો જ શુભ સમય છે. આ શુભ સમય બપોરે ૧૨:૨૯:૦૮ થી ૧૨:૩૦:૩૨ ની વચ્ચેનો છે. જેની પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે. વાસ્તવમાં, આજે અભિજીત મુહૂર્ત સાથે અન્ય ઘણા શુભ સંયોગો બની રહ્યા છે.


ગ્રંથો અને પુરાણો અનુસાર ત્રેતાયુગમાં પણ અભિજીત મુહૂર્તમાં જ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આ મુહૂર્ત ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી રામ મંદિરમાં મૂર્તિનો અભિષેક પણ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે. પંચાંગ અનુસાર આજે પોષ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ છે. આજે અભિજીત મુહૂર્ત ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ જેવા અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે. આ  કારણે જ 22મી જાન્યુઆરીની તારીખ પ્રાણ પ્રતિષ્ઠા માટે પસંદ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application