ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ કાળી પટ્ટી પહેરીને કેમ મેદાન પર ઉતરી ? BCCI એ આખરે જણાવ્યું કારણ

  • October 29, 2023 07:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટ ટીમ આજે ODI વર્લ્ડ કપ-2023ની મેચમાં વર્તમાન વિજેતા ઈંગ્લેન્ડ સામે ઉતરી છે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં વિજય સેમિફાઇનલમાં ટીમનું સ્થાન લગભગ સુનિશ્ચિત કરશે. તેથી ટીમ ઈન્ડિયા આ મેચમાં પૂરા દિલથી રમશે. મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું કહ્યું હતું. આ દરમિયાન જ્યારે કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ બેટિંગ કરવા આવ્યા ત્યારે તેઓ પોતાના હાથ પર કાળી પટ્ટી પહેરેલા જોવા મળ્યા હતા. બીસીસીઆઈએ આનું કારણ આપ્યું છે.

બીસીસીઆઈએ ટ્વીટ કર્યું છે કે ટીમ ઈન્ડિયા આ મેચમાં બિશન સિંહ બેદીને શ્રદ્ધાંજલિ આપવા માટે હાથ પર કાળી પટ્ટી બાંધીને રમશે. બેદીનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું. બેદીની ગણના ભારતના મહાન સ્પિનરોમાં થાય છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીનું 23 ઓક્ટોબરે અવસાન થયું હતું. તેમના નિધન બાદ સમગ્ર ક્રિકેટ જગત શોકમાં ગરકાવ થઈ ગયું હતું. બેદીની ગણતરી ભારતના મહાન સ્પિન બોલરોમાં થાય છે. તેણે ભારત માટે 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટ લીધી હતી. તેણે ભારત માટે 10 ODI મેચ રમી જેમાં તેણે સાત વિકેટ ઝડપી. બેદીએ 370 ફર્સ્ટ ક્લાસ મેચમાં 1560 વિકેટ પણ લીધી હતી. તેઓ ટીમ ઈન્ડિયાના કોચ પણ હતા.

આ વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ખેલાડીઓએ તમામ પાંચ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા પોતાના પૂર્વ કેપ્ટનને શ્રદ્ધાંજલિ આપવા માટે કોઈપણ કિંમતે આ મેચ જીતવા માંગશે.જો ભારત આ મેચ જીતે છે તો તેનું સેમીફાઈનલમાં જવું લગભગ નિશ્ચિત થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application