વિરાટ ભારતનો નંબર વન બેટ્સમેન, એક વર્ષથી મેદાનથી દૂર હોવા છતાં ઋષભ પંતે કેપ્ટન શર્માને પાછળ છોડ્યો

  • February 07, 2024 07:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હમણાથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છે, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં ટીમનો ભાગ બન્યો ન હતો અને મેદાન પર આવ્યા વિના પણ વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો નંબર 1 બેટ્સમેન બન્યો છે. ICC દ્વારા આજે જાહેર કરવામાં આવેલી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી 760 પોઈન્ટ સાથે સાતમા નંબર પર યથાવત છે. જોકે, વિરાટ કોહલીને બે ટેસ્ટમાં ન રમવાનું પરિણામ ભોગવવું પડ્યું છે અને તે એક સ્થાન નીચે સરકી ગયો છે. આમ છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીથી ઉપર કોઈ ભારતીય ખેલાડી નથી.


વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ સામેની સીરીઝની પ્રથમ બે મેચ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ સીરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા વિરાટ કોહલીએ અંગત કારણો દર્શાવીને ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ પહેલા છેલ્લી ત્રણ ટેસ્ટ મેચો માટે વિરાટ કોહલીની ટીમમાં વાપસીની સંભાવના હતી. પરંતુ વિરાટ કોહલી ક્યારે વાપસી કરશે તે હજુ સ્પષ્ટ નથી. જો કે વિરાટ કોહલીના કારણે છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. 8 ફેબ્રુઆરી સુધીમાં વિરાટ કોહલીના સીરીઝમાં રમવા અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.



ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી બાદ રિષભ પંતનું બીજું નામ છે. ઋષભ પંત પણ એક વર્ષથી મેદાનથી દૂર છે, પરંતુ તે હજુ પણ બેટ્સમેનોની રેન્કિંગમાં 12મા સ્થાને યથાવત છે. રોહિત શર્માને તેના સતત ખરાબ પ્રદર્શનનો ભોગ બનવું પડે છે. રોહિત શર્મા એક સ્થાન ઘટીને 13મા સ્થાને આવી ગયો છે. આ ત્રણ પછી યશસ્વી જયસ્વાલ આવે છે. જયસ્વાલને ઈંગ્લેન્ડ સામે બેવડી સદી ફટકારવાનો ઈનામ મળ્યો છે. યશસ્વી જયસ્વાલ હવે ટેસ્ટ રેન્કિંગમાં 37 સ્થાનની છલાંગ લગાવીને 29માં સ્થાને પહોંચી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application