Video, રસીકરણ એક મોટું કૌભાંડ, તેના કારણે કરોડો લોકોના મોત થયા : બાબા રામદેવ

  • June 06, 2023 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા કોરોના રસીકરણને લઈને આપવામાં આવેલ નિવેદન ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદનમાં બાબા રસીકરણ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને તેને એક મોટું કૌભાંડ ગણાવી રહ્યા છે. એટલું જ નહીં, બાબા રામદેવ કહે છે કે આના કારણે કરોડો લોકોના મોત થયા છે.


બાબા રામદેવે કહ્યું, “આ રસીકરણ એક મોટું કૌભાંડ છે. રસીકરણને કારણે લાખો, કરોડો લોકો મૃત્યુ પામ્યા છે. કોરોનાની રસી પછી હાર્ટ એટેકથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે જેઓ કોરોનાથી મૃત્યુ પામ્યા નથી. જ્યારે તે વ્યક્તિને કોઈ રોગ ન હતો, હૃદયમાં કોઈ રોગ ન હતો, કોઈ સ્વિમિંગ પૂલમાં ગયા અને પછી પાછા જ ન આવ્યા આના પગેલ દોડતા દોડતા ખેલાડીઓ અને સૈનિકોના મોત થયા છે.


રસીકરણ પછી ઘણા લોકોને સુગરની સમસ્યા થઇ છે. તો ઘણા લોકોએ તેમની આંખો ગુમાવી છે. રસીકરણ પછી કેટલાકને લકવો થયો છે, શરીર પર સફેદ દાગ થયા છે, જેમને પહેલા લીવર, કિડની ફેલ્યોર કે કેન્સર હતું, તેમને રોગ ફરી આવ્યા છે. બાબાએ કહ્યું કે જેમના લીવર અને કીડની સાજા થઈ ગયા હતા, તેમના લીવર અને કીડની રસીકરણ પછી ફરીથી બગડ્યા છે. રસીકરણ એ એક મોટુ કૌભાંડ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application