શુભમન ગીલે આજે ફરીવાર ફેન્સના દિલ જીતી લીધા છે. ગુજરાત ટાઇટલ્સના કેપ્ટન અને ભારતીય ટીમના ક્રિકેટર આજે કંઈક અલગ અંદાજમાં જોવા મળ્યા છે. સામાન્ય રીતે ક્રિકેટ જર્સીમાં અથવા તો ફોર્મલમાં જોવા મળતા શુભમન આજે પારંપારિક જૈન વસ્ત્ર પરિધાન પહેરી ખુલ્લા પગે મંદિરમાં વિહાર કરતા દેખાયા છે.
ઇન્ડિયન ક્રિકેટરે ગુજરાતના ભોયણીમાં આવેલા જૈન તીર્થ મંદિરમાં પૂજા કરી છે. અહી તેઓ પોતાના એક જૈન મિત્ર સાથે આવ્યા હતા. નોંધનીય છે કે, શુભમન પોતે શીખ ધર્મમાં માને છે, પણ એક બેસ્ટ પ્લેયર તરીકે અને એક સારા વ્યક્તિ તરીકે તેમણે વિનમ્રતાથી મંદિરમાં જે રીતે પૂજા અર્ચના કરી છે, તેનાથી ફેન્સના દિલ ખુશખુશાલ થઈ ગયા છે. પોતાના મિત્ર સાથે અહીં આવી તેમણે અહીં મલ્લીનાથ પ્રભુની પૂજા અર્ચના કરી હતી.
ભોયણી જૈન તીર્થ કડી નજીક આવેલ છે, આ તીર્થ પૂર્વે “પદ્માવતી નગર” તરીકે જાણીતું હતું. સદીઓ પૂર્વે આ સ્થળે કેટલાંક જૈન મંદિરો બન્યા હતાં, એવું અહીં કરવામાં આવેલ ખોદકામ દરમ્યાન મળી આવેલી ખંડીત પ્રતિમાઓ પરથી જાણી શકાય છે. વિક્રમ સંવત ૧૯૩૦ના સમયમાં અહીં એક ખેતરમાં કુવો ખોદવાનું કામ ચાલી રહ્યું હતું જે દરમિયાન ૪.૫ ફુટ જેટલું ખોદકામ કરતાં તેમાંથી ૧૦૪ સે.મી. ઊંચી પદ્માસનસ્થ અને શ્વેતવર્ણી શ્રી મલ્લીનાથ પ્રભુની મૂર્તિ મળી આવી હતી.
અહીં એક જિનાલયનું નિર્માણ કરી વિક્રમ સંવત ૧૯૪૩માં મહા સુદ દસમને દિવસે શ્રી મલ્લીનાથ પ્રભુની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર વિશાળ છે અને તેને ત્રણ શિખરો છે. મંદિરની ભીંતો પર કોતરણી જોવા મળે છે. દર વર્ષે માઘ મહીનામાં અહીં એક ઉત્સવ ખુબજ ધૂમધામથી મનાવવામાં આવે છે. ભોયણી જૈન તીર્થની નજીક પાનસર અને શેરીસા નામના પણ બે અન્ય જૈન તીર્થસ્થળ આવેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech