વાડીનાર આઇઓસી કંપનીના અધિકારીનું હાર્ટએટેકથી મૃત્યુ

  • June 15, 2024 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કંપનીના અધિકારીઓ, કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી


વાડીનારની આઇઓસી કંપનીના અધિકારીનું નીંદ્રાવસ્થામાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું બહાર આવતા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.


વાડીનારની આઈઓસી કંપનીના સીજીએમ રાજીવ ખનુજાનું રાત્રે ધરેજ એટેક આવતા મુત્યુ થયાનું જાણવા મળ્યું છે. તેઓ સવારે ધરે ન ઉઠતા તેને જામનગરની જીજી હોસ્પિટલમાં માં ખસેડવામા આવ્યા હતા ત્યાં તેને નિંદરમા જ એટેક આવવાથી મુત્યુ થયું છે તેમ જાણ કરવા માં આવી હતી.


વાડીનારમાં આઈઓસી કંપનીમાં તેઓને હજુ એક વર્ષ પણ નહતું થયું, તેઓ રાજસ્થાનના વતની છે અને વાડીનારની આઈઓસી કંપની વાડીનાર-મથુરા પાઈપલાઈન કંપની ના હેડ હતા. આ બનાવના કારણે સાથી અધિકારીઓ અને કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application