જૂનાગઢ જિલ્લ માં ગઈકાલે ભર શિયાળે પડેલા બેથી અડધા ઇંચ વરસાદથીખેડૂતોને ખુબ મોટુ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ઉભા પાકને માઠી અસર થતા ખેડૂતો માટે પડ્યા પર પાટો તેવી સ્થિતિ ઊભી થઈ છે કૃષિ નિષ્ણાંત સુભાષભાઈ ચોથાણી ના જણાવ્યા અનુસાર માવઠાથી ખેડૂતોને ખુબ મોટુ નુકસાન વેઠવું પડશે. હાલ કપાસ માં જીંડવા ફાટેલા છે તેમાં કપાસીયા ઉગી જશે જેથી રૂની કવોલીટી બગડી જશે.તો જ્યાં છેલ્લ ાં ૩ દિવસ માં ઘઉં-જીરૂ-ધાણાનું વાવેતર કરેલ હશે તે દબડાઈ જશે અને ઉગાવો ઓછો આવશે. જ્યાં પાકના ચણા ઉગીને ૨૫ દિવસ ના થઈ ગયા હશે તેનો કુદરતી ખાર ધોવાઈ જવાથી ઉત્પાદન ઘટશે, જ્યારે ઉગી ગયેલા જીરૂ અને ધાણા ના પાક માં ભેજ વધવાથી ફુગના રોગ વધવાની શક્યતા છે.તો વળી તુવેરના પાકમાં હાલ ફલાવરીંગ ખરી જવાથી ઉત્પાદન ઘટશે. ડુંગળી અને લસણ ને કોઈ નુકસાની થશે નહી.ખાસ કરીને બારાડી અને બરડા વિસ્તાર માં હાલ મગફળી કાઢવાની કામગીરી ચાલુ હોય પશુનો ચારો અને મગફળી પલળી ગઈ છે. વરસાદથી પાકને નુકસાનીના થાય તે માટે કૃષિ નિષ્ણાંત સુભાષભાઈ ચોથાણી ના જણાવ્યા અનુસાર આ માવઠુ જતુ રહે કે તુરત જ જીરૂ - ધાણા જેવા પાકમાં ફુગના રોગ ન લાગે તે માટે ડાયથેન એમ ૪૫ કે સાફ જેવી ફુગનાશક સાથે પ્રાયમસી આલ્ફા નો છંટકાવ કરવાથી પાક ને બચાવી શકાય છે. તથા વરસાદ પછી ૧૦ દિવસ સુધી પીયત આપવું નહી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMપોરબંદરના ફ્લાયઓવરબ્રિજ ઉપર ડમ્ફર હડફેટે એકટીવા ચાલક વૃદ્ધનું નીપજ્યું મોત
July 04, 2024 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech