નવાગામ ઘેડમાં મકાનની છત ધરાશાયી થતાં ત્રણને ઇજા

  • February 28, 2023 07:07 PM 

જામનગરમાં નવાગામ ઘેડમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે આવેલા એક મકાનની છતનો હિસ્સો ધરાસાયી થતાં પરિવારના ત્રણ સભ્યો દબાયા હતા. જેથી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આડોશી પાડોશીઓ એકત્ર થઈને બે મહિલા સહિતના ત્રણેય સભ્યોને બહાર કાઢી લીધા હતા, અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. આ બનાવવાની જાણ થતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે.


 જામનગરમાં નવાગામ ઘેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ આવેલા રાજુભાઈ મકવાણા નામના રહેવાસીના મકાનની છતનો હિસ્સો ગઇ મોડી સાંજે એકાએક ધરાશાયી થયો હતો. જેના કારણે ઘરમાં હાજર રહેલા બે મહિલા સહિતના ત્રણ વ્યક્તિઓ દબાયા હતા, અને ભારે દેકારો બોલી ગયો હતો.





આ ઘટના પછી આડોશી પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા, અને રાજુભાઈ મકવાણા (ઉ.વ.૫૫) તેમના પત્ની જશુબેન મકવાણા (ઉમર વર્ષ ૫૦) તથા વિનુબેન મકવાણા (૪૮) કે જે ત્રણેયને ઇજા થઈ હોવાથી ૧૦૮ ની ટીમને ઘટના સ્થળે બોલાવી લીધી હતી, અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં ત્રણેયને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે, અને સદભાગ્ય જાનહાની ટળી છે.


બનાવની જાણ થતાં ડિવિઝનના પી.આઈ. એચ.પી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફ્લો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને ઇજાગ્રસ્તોને સારવારમાં મદદ કરી હતી. પોલીસ દ્વારા બનાવની તપાસ ચલાવવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application