યોગાસન શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. સદીઓથી આપણા દેશમાં રોગોથી બચવા માટે યોગાસન કરવામાં આવે છે. દરેક યોગ આસનનું પોતાનું અલગ જ મહત્વ છે. શીર્ષાસન પણ તેમાંથી એક છે અને તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. તેનો નિયમિત અભ્યાસ શરીરમાં ઘણા મોટા ફેરફારો લાવી શકે છે.
શીર્ષાસન યોગ આસનોમાં સૌથી મહત્વપૂર્ણ આસનોમાંનું એક માનવામાં આવે છે. તેને યોગાસનોનો રાજા પણ કહેવામાં આવે છે. શીર્ષાસન કરવાથી પાચન અંગોમાં લોહીનો પ્રવાહ વધે છે, જેનાથી પાચનતંત્ર મજબૂત બને છે.
આ આસન તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદરૂપ થાય છે. શીર્ષાસન કરવાથી મગજમાં લોહીનો પ્રવાહ વધે છે, જે એકાગ્રતા અને યાદશક્તિમાં સુધારો કરે છે. આ આસન મેટાબોલિક પ્રવૃત્તિને વધારે છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
શીર્ષાસન કરવાથી ચહેરા પર લોહીનું પરિભ્રમણ પણ વધે છે, જેનાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે. આ આસન માથાનો દુખાવો અને અનિદ્રાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે. શીર્ષાસન કરવાથી હાથ, ખભા અને પગના સ્નાયુઓ પણ મજબૂત થાય છે. આ આસન કરોડરજ્જુને મજબૂત બનાવવામાં અને તેને ફ્લેક્સિબલ બનાવવામાં મદદ કરે છે.
આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
જો તમને હાઈ બ્લડ પ્રેશર, ગરદન અથવા પીઠનો દુખાવો, અથવા હૃદય રોગ જેવી કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય, તો શીર્ષાસન કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો. શરૂઆત માટે, તમે દિવાલના ટેકાથી શીર્ષાસન કરી શકો છો. શીર્ષાસન કરતી વખતે હંમેશા તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમે અસ્વસ્થતા અનુભવો છો, તો સમય વેડફયા વગર સાવધાનીથી તે મુદ્રામાંથી બહાર આવો.
આ લેખમાં આપેલ સૂચનો માત્ર માહિતી માટે છે. કોઈપણ સલાહ અથવા સૂચનને અમલમાં મૂકતા પહેલા, નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech