બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી–યમુનોત્રીમાં એક–એક કલાકના સ્લોટમાં ટોકન અપાશે અને ૪ કલાક વેલીડ રહેશે
ચારધામ યાત્રા આગામી એપ્રિલ મહિનામાં શ થવા જઈ રહી છે. દેશના ખૂણે ખૂણેથી બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી–યમુનોત્રી દર્શન કરવા માટે લોકો પહોંચતા હોય છે. દર્શન કરવા માટે ભકતોને લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહીને રાહ જોવાનો વારો આવતો હોય છે, પરંતુ આ વખતે આવું નહીં થાય. શ્રદ્ધાળુઓ હવે સરળતાથી લાઈનમાં ઊભા રહ્યા વગર જ ભગવાનના દર્શન કરી શકશે એવું આયોજન કરવામાં આવ્યું છે. એના માટે ઉત્તરાખડં પર્યટન વિકાસ પરિષદ યાત્રીઓ માટે દર્શનાર્થ ટોકન સિસ્ટમ લાગુ કરશે. આ ટોકન એક એક કલાકના સ્લોટના અંતરાલમાં જારી કરવામાં આવશે. આ ટોકન ચાર કલાક સુધી માન્ય રહેશે.
ટોકન સિસ્ટમ લાગુ કરવાના કારણે તીર્થ યાત્રીઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનો સમય બચી જશે. શ્રદ્ધાળુઓ પોતાનો ટોકન લઈને ચાર કલાકની અંદર કયારેય પણ મંદિરમાં દર્શન કરી શકશે. આ ટોકન સિસ્ટમની વ્યવસ્થા ચારેય ધામમાં લાગુ કરવામાં આવશે. જેથી લોકોને લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે અને તેઓ પોતાના સમયે દર્શન કરી શકશે. ચારધામ યાત્રા દરમિયાન ચારેય ધામોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ હોવાના કારણે શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. શ્રદ્ધાળુઓ આખો દિવસ લાઈનોમાં ઊભા રહેતા હતા અને દર્શન પણ થતા નહોતા. જેને જોતાં ઉત્તરાખડં પર્યટન વિકાસ પરિષદ દ્રારા આ વર્ષે ટોકન સિસ્ટમની શઆત કરવામાં આવી છે. ઉત્તરાખડં પર્યટન વિકાસ પરિષદના ડેપ્યુટી ડિરેકટર યોગેન્દ્ર ગંગવારે જણાવ્યું કે, ચારધામની યાત્રા કરવા આવતા યાત્રીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, એટલા માટે ઉત્તરાખડં પર્યટન વિકાસ પરિષદે કવાયત શ કરી છે. ચારેય ધામમાં ટોકન વ્યવસ્થા દ્રારા તીર્થયાત્રીઓની યાત્રા પણ સરળ બની રહેશે.
પહેલાં તીર્થયાત્રીઓ બસમાં બેસી કે ચાલીને ધામમાં પહોંચતા હતા. સમય બચાવવા માટે તેઓ તરત લાઈનમાં ઊભા રહી જતા હતા. જેના કારણે અનેક તીર્થયાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. સૌથી વધારે મુશ્કેલી ઉંમરલાયક યાત્રીઓને થતી હતી. દર્શન માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહ્યા બાદ નંબર આવતો હતો. ત્યારે ટોકન સિસ્ટમ શ થયા બાદ ભકતોને ખૂબ જ રાહત મળશે. લાઈનમાં ઊભા રહીને જે મુશ્કેલીઓ પડતી હતી એનો પણ હવે અતં આવી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech