શુભમન ગિલ અને રોહિત શર્મા વચ્ચે નથી થઈ કોઈ અનબન, ક્રિકેટ ફેન્સને થયો હાશકારો

  • June 16, 2024 04:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

T20 વર્લ્ડ કપ 2024 લીગ સ્ટેજના અંત પહેલા એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સુપર-8 પહેલા બે ભારતીય ખેલાડીઓ - શુભમન ગિલ અને અવેશ ખાન - ટીમ છોડીને ઘરે પરત ફરશે. આ બંને રિઝર્વ ખેલાડીઓનો ભાગ હતા. જો કે, આ પછી અન્ય એક રિપોર્ટ સામે આવ્યો જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગિલને અનુશાસનહીનતાને કારણે ઘરે મોકલવામાં આવી રહ્યો છે અને તેની સાથે રોહિત શર્મા સાથે અણબનાવ પણ થયો હતો. બંને ખેલાડીઓએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે. પરંતુ હવે આ તમામ અહેવાલો પર પૂર્ણવિરામ મુકતા ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોડે નિવેદન આપ્યું છે કે બે ભારતીય ખેલાડીઓના ઘરે પરત ફરવાનો નિર્ણય ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ લેવામાં આવ્યો હતો.

ભારત અને કેનેડાની મેચ રદ્દ થયા બાદ વિક્રમ રાઠોડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "શરૂઆતથી જ આ પ્લાન હતો. જ્યારે અમે અમેરિકા આવીશું ત્યારે અમારી સાથે ચાર (રિઝર્વ) ખેલાડી આવશે. ત્યાર બાદ, બે સ્વદેશ પરત ફરશે. અને બે અમારી સાથે વેસ્ટ ઈન્ડિઝ જશે તેથી, ટીમ પસંદ કરવામાં આવી ત્યારથી જ આ યોજના હતી તેથી અમે તેને અનુસરી રહ્યા છીએ."

15 ખેલાડીઓની ટીમ સિવાય BCCIએ T20 વર્લ્ડ કપ માટે 4 રિઝર્વ ખેલાડીઓની પસંદગી કરી હતી. શુભમન ગિલ અને અવેશ ખાન ઉપરાંત રિન્કુ સિંહ અને ખલીલ અહેમદ રિઝર્વ ખેલાડીઓ હતા. રિંકુ અને ખલીલ હવે સુપર-8 માટે ટીમ ઈન્ડિયા સાથે વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થશે, જ્યારે ગિલ-આવેશ સ્વદેશ પરત ફરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application