ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવાની માંગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદે રેલી યોજી આવેદન પાઠવ્યું

  • March 21, 2023 02:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગરમાં તાજેતરમાં હીન્દુ વસાહતોમાં વિધર્મી સમદાયે મીલકત ખરીદી વિસ્તારોમાં ઉભી કરેલ અશાંતી બાબતે આજે વિશ્વ હિન્દુ પરિષદની આગેવાની હેઠળ  વીશાળ રેલી સાથે કલેકટરને અશાંતધારાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


ભાવનગરમાં હિન્દૂ વસતી ધરાવતા વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મિલકતો ખરીદવામાં આવી રહી હોઈ,તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદની આગેવાની હેઠળ ભીડભંજન મહાદેવ મંદીરથી રેલી સ્વરુપે કલેકટર કચેરી ખાતે પહોંચી વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર મહાનગર દવારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી ભાવનગર મ્યુ.કોર્પોની હદમા અશાંતધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી.


આ રેલીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો વિવિધ બેનર અને પ્લે કાર્ડ સાથે જોડાયા હતા અને કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી કલેકટર અને અધિક કલેકટરને આવેદનપત્ર આપી અશાંતધારો લાગુ કરવા રજુઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application