પ્રથમ અને બીજી સિઝન બાદ હવે ફેન્સ મિર્ઝાપુરના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિરીઝને લઈને લોકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સિરીઝના દરેક પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. ખાસ કરીને કાલિન ભૈયા કે જેઓ આખી સિરીઝની લાઈફ ગણાય છે. અહેવાલનું માનીએ તો મિર્ઝાપુરના ત્રીજા ભાગમાં ત્રણ ગણી મોટી ધમાલ થવાની છે. સિરીઝનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે મિર્ઝાપુર-3 ને લઈને પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. જેમકે, મુન્નાભૈયા જીવિત હશે કે નહીં અને કાલીન ભૈયા આતંક ફેલાવશે કે નહીં, આવા અનેક સવાલોના જવાબ આ સિરીઝ રિલીઝ થયા પછી જ મળી રહેશે.
આપને જણાવી દઇએ કે, મિર્ઝાપુરનો ત્રીજો ભાગ માર્ચ 2024ના અંતિમ સપ્તાહમાં ઓટીટી પર રજૂ થશે. આ પહેલા પણ સિરીઝની વાર્તા અંગે કેટલાક મોટા ખુલાસા થયા છે. રિપોર્ટનું માનીએ તો મિર્ઝાપુરની વાર્તાને સિઝન 3 સાથે આગળ વધારવામાં આવશે. આ વખતે ત્રિપાઠીઓ અને પંડિત પરિવાર વચ્ચેની લડાઈ વચ્ચે એક નવી વાર્તાનો જન્મ થશે.
આ વખતે કાલીન અને ગુડ્ડુ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે. મિર્ઝાપુર-3 માં કાલીન ભૈયા, જેને છેલ્લા ભાગમાં શરદ બચાવે છે, આ વખતે તેની અને ગુડ્ડુ વચ્ચે જોરદાર લડાઈ થતી જોવા મળે છે. ગોલુ પણ તેના પરિવારનો બદલો લેતી જોવા મળશે. બીજા ભાગમાં મુન્ના ભૈયાને શૂટ કરવામાં આવ્યા છે. તેથી તેના પાત્ર વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
મિર્ઝાપુરના ત્રીજા ભાગની વાર્તાનો મોટો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મિર્ઝાપુરની વાર્તાના અંતે ગુડ્ડુ ભૈયા જેલમાં જઈ શકે છે. તે જ સમયે, ગોલુ સમગ્ર સત્તા અને મિર્ઝાપુર પર રાણી તરીકે શાસન કરતી જોઈ શકાય છે. આ તરફ, કાલીન ભૈયાની પત્ની બીના ત્રીજી સિઝનમાં વધુ આક્રમક જોવા મળશે. આ સિવાય દદ્દા ત્યાગી પોતાના પુત્રના મોતનો બદલો લેતા જોવા મળશે. બીજી તરફ શરદ પોતાની ચાલાકી દ્વારા મિર્ઝાપુરની ગાદી પર કબજો જમાવવાનો પ્રયાસ કરતો જોવા મળશે. આ બધાની ઉપર એક સવાલ એ પણ છે કે શું કાલીન ભૈયા ત્રીજા ભાગમાં તેનો અંત આવશે કે પછી તે ટકી શકશે? જોકે એક વાત ચોક્ક્સ છે કે મિર્ઝાપુરની સિઝન એક અને બે કરતા સિઝન ત્રણ વધુ રોમાંચ ભરી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech