એક માતાએ પોતાનું જીવન બલિદાન આપ્યું જેથી તેના પુત્રો મોટા થઈ શકે અને વધુ સારી રીતે અભ્યાસ કરી શકે. જો તેણી મૃત્યુ પામે છે, તો વળતરની રકમ તેના પુત્રને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવશે તેવી આશા સાથે તે એક બસની સામે ઉભી રહી ગય હતી. હકીકતમાં આ ઘટના તમિલનાડુના સાલેમમાં બની હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે માતાએ પોતાનો જીવ આપ્યો. આ વીડિયો જોઈને લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, મહિલાનું નામ પાપાથી છે અને તે 40 વર્ષની હતી. તેણી તમિલનાડુમાં સાલેમ જિલ્લા કલેક્ટર કચેરીમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી. તેણીએ તેના પતિથી અલગ થઈને તેના બાળકોને એકલા ઉછેર્યા. સફાઈ કામદાર તરીકે કામ કરીને મળતો પગાર તેના ઘરનું ગુજરાન ચલાવવા પૂરતો નહોતો. પગાર એટલો ઓછો હતો કે તેના બાળકો માટે સારું શિક્ષણ મેળવવું શક્ય ન હતું. આવી સ્થિતિમાં તેણે ઘણા લોકો પાસેથી ઉધાર લેવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈએ તેની મદદ કરી નહીં.
આ કારણે પાપાથીએ પોતાનો જીવ આપ્યો કે જો તેનું અકસ્માતમાં મૃત્યુ થાય તો સરકાર તેને થોડું વળતર આપશે. ઘટનાની તપાસ કરતી વખતે, પોલીસ અધિકારીઓને ખબર પડી કે બસને ટક્કર મારતા અને પોતાનો જીવ ગુમાવતા પહેલા, પાપાથીએ અગાઉ પણ આવી જ રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે નાની ઇજાઓથી બચી ગઈ હતી. સાલેમ ટાઉન પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 279 (જાહેર માર્ગ પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવું) અને 304(A) (બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે) હેઠળ કેસ નોંધ્યો છે.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે પાપાથીએ તેના પુત્ર માટે 45,000 રૂપિયા કોલેજ ફી જમા કરાવવાની હતી. ફી જમા ન કરાવી શકવાની મજબૂરીને કારણે તે ખૂબ જ ચિંતિત હતી. આ દરમિયાન કોઈએ તેને ગેરમાર્ગે દોરી. એવું કહેવાય છે કે કોઈએ સૂચવ્યું હતું કે તેના અકસ્માતે મૃત્યુના કિસ્સામાં, તેના બાળકોને વળતર મળશે.
વાસ્તવમાં, કામચલાઉ સફાઈ કામદાર તરીકે, પાપાથીને 10,000 રૂપિયાનો પગાર મળતો હતો. જે તેના પરિવારના ખર્ચ માટે ઓછો હતો. પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા 18 વર્ષથી તેના પતિથી અલગ હોવાથી તેણે પોતાની પુત્રી અને પુત્રનો ખર્ચ પોતે ઉઠાવ્યો હતો. પુત્રી એન્જિનિયરિંગના અંતિમ વર્ષની વિદ્યાર્થીની છે, જ્યારે પુત્ર ખાનગી કોલેજમાં આર્કિટેક્ચરમાં ડિપ્લોમા કરી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech