આવી ગઇ રળિયામણી ઘડી, પૂર્ણ થઇ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા

  • January 22, 2024 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaaldigitalteam

અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રીરામ બિરાજમાન થયા છે. શંખનાદ અને વૈદિક મંત્રોના જાપ સાથે રામમંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી છે. નિર્ધારિત શુભ મુહૂર્તમાં પીએમ મોદીએ રામલલ્લાનો અભિષેક કર્યો હતો. ત્યાર બાદ અયોધ્યા નગરી જય શ્રીરામના નારાથી ગુંજી ઉઠી હતી. આપને જણાવી દઇએ કે પીએમ નરેન્દ્ર મોદીએ ગર્ભગૃહમાં પૂજા કરી અને ત્યાર બાદ આરતી કરી હતી. રામનગરી અયોધ્યાની સાથે સમગ્ર દેશ રામમય બની ગયો છે.


મંત્રોચ્ચાર અને શંખ ફૂંકાવા સાથે સમગ્રપણે વિધિ વિધાન અનુસરતા પીએમ મોદીએ રામલલ્લાનો અભિષેક કર્યો હતો. જેથી અયોધ્યામાં લગભગ 500 વર્ષની લાંબી પ્રતિક્ષાનો અંત આવ્યો છે. ભગવાન રામલલ્લા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાની વિધિ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવી હતી. પીએમ મોદીએ 84 સેકન્ડના શુભ મુહૂર્તમાં રામલલ્લાનો અભિષેક કર્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ રામલલ્લાની પ્રથમ તસવીર સામે આવી છે. નયનરમ્ય અને મનમોહક તસવીર નિહાળી ભક્તો અભિભૂત થયા છે. ગર્ભગૃહમાં રામલલ્લાનો અભિષેક સંપન્ન થયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોહન ભાગવત હાજર રહ્યા હતા.


પીએમ મોદીએ કાજલ લગાવીને રામલલ્લાનું સન્માન કર્યું હતું. બાદમાં રામલલ્લા તેમના ગર્ભગૃહમાં બિરાજમાન થયા હતા. આપને જણાવી દઇએ કે રામમંદિર પરિસરમાં હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. અયોધ્યા સ્થિત શ્રીરામ મંદિરમાં રામલલ્લાના અભિષેક બાદ આરતી પણ કરવામાં આવી હતી. પીએમ મોદીએ રામલલ્લાની આરતી ઉતારી હતી. અયોધ્યામાં મંગલગીત અને શંખનાદ વગાડવામાં આવતા વાતાવરણ ધર્મમય થઇ ગયું હતું..


સમગ્રપણે ધાર્મિક વિધિને અનુસરી અયોધ્યાના રામમંદિર પરિસરમાં રામલલ્લાના અભિષેકની વિધિ પૂર્ણ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિજીત મુહૂર્તમાં રામલલ્લાની સ્થાવર પ્રતિમાનો અભિષેક કર્યો હતો. આ સમયે આરએસએસના વડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને મહંત નિત્ય ગોપાલ દાસ વડાપ્રધાનની સાથે ગર્ભગૃહમાં હાજર રહ્યા હતા.


રામલલ્લાના જીવનના અભિષેક સાથે 22 જાન્યુઆરી 2024ની તારીખ ઈતિહાસમાં નોંધાઈ છે. નિયત અભિજીત મુહૂર્ત પર, વૈદિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થતા સમગ્ર દેશમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application