સાયબર છેતરપિંડી કરનારાઓના નેટવર્કને તોડી પાડવા અને નાગરિકોને ડિજિટલ જોખમોથી બચાવવા માટે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. એક સાથે 28 હજારથી વધુ મોબાઈલ ફોન બ્લોક કરવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DOT), ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસે મળીને આવી ઘટનાઓને રોકવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે 28 હજાર 200 મોબાઈલ હેન્ડસેટનો સાયબર ગુનાઓ માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મોબાઈલ હેન્ડસેટ સાથે લગભગ 20 લાખ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વિભાગે આ મામલે મોટું પગલું ભર્યું છે. ડિપાર્ટમેન્ટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને સમગ્ર ભારતમાં 28,200 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવા અને આ હેન્ડસેટ્સ સાથે જોડાયેલા મોબાઈલ કનેક્શનને તાત્કાલિક રિવેરિફાઈ કરવાનો નિર્દેશ આપ્યો છે. આમાં, વિભાગે એમ પણ કહ્યું કે જે નંબરો વેરિફિકેશનમાં નિષ્ફળ જાય છે તેને તાત્કાલિક બ્લોક કરી દેવા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવું પગલું જાહેર સલામતી પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પગલું ટેલિકોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષિત ડિજિટલ વ્યવહારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech