TMC ચીફ મમતાને ભાજપના નેતા અગ્નિમિત્રા પોલે આપ્યો પડકાર, જાણો શું છે પડકાર?

  • December 23, 2023 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળના ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પીએમ નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. અગ્નિમિત્રા પોલે કહ્યું કે જો મમતા બેનર્જીમાં હિંમત હોય તો તેમણે વડાપ્રધાન મોદી સામે વારાણસીથી ચૂંટણી લડવી જોઈએ. એટલું જ નહીં ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસનું અસ્તિત્વ રહ્યું નથી.

અગ્નિમિત્રા પોલે કહ્યું કે, અમે જોઈ રહ્યા છીએ કે ગઠબંધનની સીટ શેરિંગ ફોર્મ્યુલા કેવી છે? આ પક્ષો ક્યારેય સમાધાન કરી શકતા નથી. તેમની વિચારધારા અલગ છે. ટીએમસીની વિચારધારા ચોરી કરવી અને પરિવારવાદને પોષણ આપવાની છે. તેમની વચ્ચે એક જ બાબતમાં સમાનતા જોવા મળે છે અને તે છે ચોરી કરવી

પોલે કહ્યું, ટીએમસીની હિંસામાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ માર્યા ગયા છે, શું તેઓ જયારે ગઠબંધનમાં મેદાનમાં ઉતરશે ત્યારે જનતાને જવાબ આપી શકશે? આ તેમનું બેવડું ધોરણ છે. લોકો કહી રહ્યા છે કે વારાણસીથી પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારો. મમતા બેનર્જી વારાણસીથી પીએમ મોદી સામે કેમ ચૂંટણી લડતા નથી. અમે ઈચ્છીએ છીએ કે અમારા મુખ્યમંત્રી ત્યાંથી ચૂંટણી લડે. તેમણે એમ પણ કહ્યું કે, જો તમારે પીએમ બનવું હોય તો તમારે વારાણસીથી ચૂંટણી લડવી જોઈએ. ચાલો જોઈએ કે તેની પાસે કેટલી હિંમત છે. અધીર રંજનને બંગાળમાં કોંગ્રેસ કાર્યાલયને તાળું મારવા કહો અને તેમણે TMC કાર્યાલયમાં જઈને બેસી રહેવું જોઈએ કારણ કે તેઓનું કઈ અસ્તિત્વ નથી.

આ સાથે એમ પણ કહ્યું હતું કે, મમતા બેનર્જી ગઠબંધનનું નામ આપી રહી છે,  મમતા એ પણ જણાવશે કે પીએમનો ચહેરો કોણ હશે. 31મી તારીખ સુધી સીટ વહેંચણી કરવી પડશે તે વાત પણ મમતા કહેશે આપ શું કરશો અધીર રંજન? બંગાળના લોકો અત્યાર સુધી તેમના ડ્રામા પર વિશ્વાસ કરતા હતા, પરંતુ હવે નહીં,  હવે લોકોને તેમની વાસ્તવિકતા ખબર પડી ગઈ છે.

નીતિશને પણ મળ્યો પડકાર

મમતા બેનર્જી પહેલા ભાજપે બિહારના સીએમ નીતિશ કુમારને પણ વારાણસીથી પીએમ મોદી સામે ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તાજેતરમાં કહ્યું હતું કે નીતિશ કુમાર વારાણસીમાં રેલી કરવા જઈ રહ્યા છે. જો તેમનામાં હિંમત હોય તો તેઓ વારાણસીથી પીએમ મોદી સામે ચૂંટણી લડે તો વિપક્ષી પાર્ટીઓ તેમને મહાગઠબંધનનો પીએમ ચહેરો બનાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application