ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને ઝોમાટો બાદ સ્વિગી સાથે હાથ મિલાવ્યો ; ટૂક સમયમાં દેશભરમાં શરુ થશે સર્વિસ
આપણા દેશમાં દૈનિક કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ત્યારે લાંબા અંતરની મુસાફરી કરતા લોકોને ભોજનને લગતા પ્રશ્નનું નિરાકરણ થઇ ગયું છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ સ્વિગીએ આઈઆરસીટીસી સાથે ભાગીદારી કરી છે. જેના કારણે હવે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પણ મુસાફરો સ્વિગી એપ દ્વારા મૂવિંગ ટ્રેનમાં તેમની સીટ પર સીધું તેમનું મનપસંદ ફૂડ ડિલિવર કરી શકશે.
ઇન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન એટલે કે આઈઆરસીટીસી અને સ્વિગીએ મળીને ચાલતી ટ્રેનમાં મુસાફરોને તેમની સીટ પર તેમનું મનપસંદ ભોજન પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં, આ સુવિધા ફક્ત ૪ સ્ટેશનો પર શરૂ કરવામાં આવી છે, જેમાં બેંગલુરુ, ભુવનેશ્વર, વિજયવાડા અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે. જોકે, આગામી દિવસોમાં આ સુવિધા ભારતના અન્ય સ્ટેશનો પર પણ શરૂ કરવામાં આવશે.
આ પહેલીવાર નથી કે જ્યારે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને ટ્રેનમાં મુસાફરોને ભોજન આપવા માટે ફૂડ ડિલિવરી એપ સાથે હાથ મિલાવ્યા હોય. આઈઆરસીટીસીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ઝોમાટો સાથે પણ ભાગીદારી કરી હતી, જે ભારતમાં ઘણા સ્ટેશનો પર ફૂડ ડિલિવરી સેવા પૂરી પાડે છે.
જે મુસાફરો આઈઆરસીટીસી દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે તેઓ આઈઆરસીટીસી ઈ-ક્લાસીફીકેશન પોર્ટલ દ્વારા તેમનો પીએનઆર નંબર દાખલ કરીને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સરળતાથી ફૂડ ઓર્ડર કરી શકે છે. આ સમય દરમિયાન, પેસેન્જર્સ એ જ એપમાં રેસ્ટોરન્ટનું નામ, ફૂડ અથવા તો તેમની કોઈપણ મનપસંદ રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર કરી શકે છે. મુસાફરો ભોજન માટે ઑનલાઇન અથવા કેશ ઓન ડિલિવરીથી ચૂકવણી કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech