જામનગરના રાવલસર ગામના માલધારી યુવાનનો અગમ્ય કારણોસર ઝેર પી લઈ આપઘાત

  • April 22, 2023 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર તાલુકાના રાવલસર ગામમાં રહેતા એક ભરવાડ યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.



આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના રાવલસર ગામમાં રહેતા, અને માલધારી તરીકે નો વ્યવસાય કરતા રાજુભાઈ બીજલભાઇ ટારિયા નામના ભરવાડ યુવાને ગઈકાલે સવારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે.


આ બનાવ અંગ મૃતકના ભાઈ રવાભાઈ બીજલભાઇ એ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. સિક્કા પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application