ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા હાલ હડતાલ સ્થગિત, આગામી 3 જુલાઈએ નિર્ણય લેશે

  • June 28, 2023 09:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા હાલ હડતાલ સ્થગિત રાખવામાં આવી છે. વિવિધ પડતર માંગણીઓને લઈને આજથી 40 હજાર કર્મચારીઓ હડતાલ પર જવાના હતા. જોકે જીબિયાના કમિટી મેમ્બરોએ પ્રમુખ સાથે વાટાઘાટો કરી યોગ્ય ઉકેલ માટે આગામી ત્રણ જુલાઈએ ઉર્જા મંત્રી સાથે બેઠક યોજશે.  



જેટકો મેનેજમેન્ટ દ્વારા બિન કાયદેસર રીતે કેન્સલ થયેલા ઓર્ડર રિસ્ટોર કરવા, હોટલાઈન એલાઉન્સ, સ્ટાફ સેટઅપ સહિતના વિવિધ પ્રશ્ને આંદોલન કરવામાં આવી રહ્યું હતું. કર્મચારીઓમાં સી એલ પર પણ ઉતરી ગયા હતા અને આજથી હડતાલનું એલાન કર્યું હતું. જોકે હવે આગામી ત્રણ તારીખે ઉર્જા મંત્રી સાથે બેઠક યોજ્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે. ઉર્જા મંત્રી સાથે બેઠક યોજી તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશેનું હાલ તો આશ્વાસન આપવામાં આવ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application