રાજકોટ, અમદાવાદ, જામનગર, વડોદરા, સુરત, જુનાગઢ, ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા 40 કોચિંગ કલાસિસ પર સ્ટેટ જીએસટીના દરોડા પડ્યા છે. સંચાલકો વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા દર્શાવી કરચોરી કરતા હોય તપાસ હાથ ધરી છે.
રાજયવ્યાપી દરોડા પાડી કરચોરી અંગે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હોવાનું જીએસટી વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે, આવા કોચિંગ ક્લાસ ઉપર 18 ટકા જીએસટી લાગુ છે. ત્યારે ક્લાસિસ સંચાલકો તેનાં કલાસિસમાં વિદ્યાર્થીઓની ખોટી એટલે કે ઓછી સંખ્યા દર્શાવી કરચોરી કરતા હોય છે અને આવી ફરિયાદો હાલમાં જ જીએસટી વિભાગને મળતા વિજિલન્સ વિંગે રાજકોટ સહિત રાજ્યમાં 40થી વધુ કોચિંગ ક્લાસિસનાં સંચાલકો ઉપર દરોડા પાડ્યા છે.
રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ આઈસીઈ તથા આકાશવાણી ચોકમાં ચિરાગભાઈ નામની વ્યકિત દ્વારા ચલાવતા કલાસિસ ઉપર સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. જ્યારે અમદાવાદ, વડોદરા, સુરત, જુનાગઢ, ભાવનગર, જામનગર સહિતનાં સ્થળોએ આવેલા જુદા જુદા કોચિંગ ક્લાસિસ ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે અને કરચોરી અંગે તપાસની કાર્યવાહી ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMસિહોર નગરપાલિકા ચીફ ઓફિસર સામે ધરણા, ગાંધીગીરી અને ખુલ્લો મોરચો
May 09, 2025 04:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech