ચમારી અટાપટ્ટુની કપ્તાની હેઠળ શ્રીલંકાની મહિલા ટીમે મહિલા T20 એશિયા કપ 2024ની ફાઇનલ મેચ ભારત સામે એકતરફી 8 વિકેટથી જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ સ્મૃતિ મંધાનાની 60 રનની ઇનિંગના આધારે ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 165 રન બનાવ્યા હતા. જવાબમાં, શ્રીલંકાની મહિલા ટીમ તરફથી શાનદાર બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું અને તેમની તરફથી, ચમારી અટાપટ્ટુ અને હર્ષિતા સમરવિક્રમાએ અડધી સદી ફટકારીને તેમની ટીમને 8 વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ મેચમાં શ્રીલંકાની ટીમને 166 રનનો ટાર્ગેટ મળ્યો હતો, શરૂઆત સારી રહી ન હતી અને તેણે 7ના સ્કોર પર વિશ્મી ગુણારત્નેના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. અહીંથી શ્રીલંકન ટીમના કેપ્ટન ચમારી અટાપટ્ટુએ હર્ષિતા સમરવિક્રમા સાથે મળીને દાવને સંભાળ્યો અને પ્રથમ 6 ઓવરમાં ટીમને વધુ આંચકો ન પડવા દીધો અને સ્કોર 44 રન સુધી લઈ ગયા. આ મેચમાં શ્રીલંકાની ટીમને 94 રનના સ્કોર પર બીજો ઝટકો કેપ્ટન અટાપટ્ટુના રૂપમાં લાગ્યો હતો, જે 43 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 61 રનની ઇનિંગ રમ્યા બાદ દીપ્તિ શર્મા દ્વારા બોલ્ડ થયા હતા.
અહીંથી હર્ષિતા સમરવિક્રમાએ ટીમને જીત તરફ લઈ જવાની જવાબદારી લીધી અને તેની સાથે કાશવી દિલહારીએ 18.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. હર્ષિતાએ 51 બોલમાં 69 રનની અણનમ ઇનિંગ રમી હતી, જ્યારે કાશવીએ 16 બોલમાં 30 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમ પ્રથમ વખત મહિલા એશિયા કપમાં ટ્રોફી જીતવામાં સફળ રહી છે.
જો ફાઇનલ મેચમાં ભારતીય ટીમની ઇનિંગની વાત કરીએ તો માત્ર સ્મૃતિ મંધાના જ મોટી ઇનિંગ રમવામાં સફળ રહી હતી. આ મેચમાં મંધાનાએ 47 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી જેમાં તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. તેમના સિવાય રિચા ઘોષે 30 રનની અને જેમિમાએ 29 રનની ઇનિંગ રમી હતી. આગામી મહિલા T20 વર્લ્ડ કપ પહેલા આ ફાઈનલ મેચમાં ભારતીય ટીમની હાર તેમના માટે કોઈ મોટા આંચકાથી ઓછી નથી કારણ કે તે અત્યાર સુધી 7 વખત એશિયા કપ ટૂર્નામેન્ટ જીતી ચુકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech