શાહબાઝ શરીફ ફરી એકવાર પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના વરિષ્ઠ નેતા શહેબાઝ શરીફ આજે યોજાયેલા મતદાનમાં વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. આ પહેલા શાહબાઝ શરીફે શનિવારે (2 માર્ચ) વડાપ્રધાન પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. મતદાન પહેલા પણ એવું માનવામાં આવતું હતું કે મતદાનના પરિણામો પીએમએલ-એનની તરફેણમાં આવશે. તેમજ શાહબાઝ શરીફ ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે.
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા ઓમર અયુબ ખાને શરીફ વિરુદ્ધ વડાપ્રધાન પદ માટે નોમિનેશન ભર્યું હતું. પાકિસ્તાનમાં ગયા મહિને નેશનલ એસેમ્બલી માટે વોટિંગ થયું હતું, ચૂંટણીના પરિણામ પણ વોટિંગના દિવસે જ આવ્યા હતા. પરંતુ તે પછી તેમને વડાપ્રધાન બનાવવા અંગે કોઈ વાત થઈ ન હતી. જે બાદ આજે એટલે કે રવિવારે (3 માર્ચ) વડાપ્રધાન પદ માટે મતદાન થયું હતું. આ વોટિંગમાં શાહબાઝ શરીફે પોતાના પ્રતિસ્પર્ધીને 100થી વધુ મતોથી હરાવ્યા હતા.
શાહબાઝ શરીફની તરફેણમાં કુલ 201 વોટ પડ્યા હતા. જ્યારે ઉમર અયુબ ખાનને માત્ર 92 વોટ મળ્યા હતા. આ પછી, શાહબાઝ શરીફને વડા પ્રધાન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, શાહબાઝ શરીફ આવતીકાલે એટલે કે સોમવારે વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech