અદાણી ઓફશોર ફંડ્સના શેરોલ્ડર્સએ રોકાણ મર્યાદાનું કર્યું ઉલ્લંઘન : સેબીએ પાઠવી નોટિસ

  • April 23, 2024 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

12 ઓફશોર ફંડ્સે જાહેરાતના નિયમોનું ઉલ્લંઘન કરી રોકાણની મર્યાદા ઓળંગી : 8એ  સેબીને  લેખિત વિનંતી સબમિટ કરી



અહેવાલ મુજબ, ભારતના બજાર નિયમનકાર એટલે કે સેબીએ શોધી કાઢ્યું છે કે અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ કરનારા 12 ઓફશોર ફંડ્સે જાહેરાતના નિયમોનું ઉલ્લંઘન કર્યું ઉપરાંત રોકાણની મર્યાદા પણ ઓળંગી હતી.


ગયા વર્ષે ઓગસ્ટમાં, રોઇટર્સે શરૂઆતમાં ખુલાસો કર્યો હતો કે સેબીએ લિસ્ટેડ એન્ટિટીઓ દ્વારા જાહેરાતો અંગેના નિયમોનું ઉલ્લંઘન અને ઓફશોર ફંડ હોલ્ડિંગ પરના નિયંત્રણો શોધી કાઢ્યા હતા. રેગ્યુલેટરી ઓથોરિટી અદાણી ગ્રૂપ અને ફંડ વચ્ચેના સંબંધોની તપાસ કરી રહી હતી કે ગ્રૂપના પ્રાથમિક શેરધારકો સાથે સંભવિત સંકલન છે કે કેમ, અદાણીએ અગાઉ આ આરોપને નકારી કાઢ્યા હતા.

​​​​​​​

આ વર્ષની શરૂઆતમાં, સૂત્રોએ જણાવ્યું હતું કે સેબીએ અદાણી ગ્રૂપ સાથે જોડાયેલા 12 ઓફશોર ઇન્વેસ્ટરર્સને નોટિસ પાઠવી હતી, જેમાં આક્ષેપોની વિગતો આપવામાં આવી હતી અને જાહેરાતની જરૂરિયાતો અને રોકાણ મર્યાદાના ઉલ્લંઘન અંગેના તેમના વલણ અંગે સ્પષ્ટતાની વિનંતી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમાંથી આઠ ઓફશોર ફંડએ નિયમનકારને લેખિત વિનંતી સબમિટ કરી છે, જેમાં દોષ કબૂલ્યા વિના દંડ ચૂકવીને ચાર્જિસનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.


સેબીએ તપાસ માટે કુલ 13 વિદેશી રોકાણકારોની ઓળખ કરી હતી, જેમાં પાંચ વધારાની સંસ્થાઓ - ઇમર્જિંગ ઇન્ડિયા ફોકસ ફંડ્સ, ઈએમ રિસર્જન્ટ ફંડ, પોલસ ગ્લોબલ ફંડ, ન્યૂ લીના ઇન્વેસ્ટમેન્ટ્સ અને ઓપલ ઇન્વેસ્ટમેન્ટ્સ સહિત આઠનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application