ભાજપે ૪૧ મતે મેળવ્યો બહુમત
હરિયાણાની સૈની સરકારે આજે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો છે. ગૃહની અંદર ધ્વનિ મત દ્વારા વિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ વિશ્વાસ મત અંગે જેજેપીએ તેના તમામ ધારાસભ્યોને વ્હિપ જારી કરીને કહ્યું હતું કે કોઈપણ ધારાસભ્ય ગૃહમાં હાજર ન થાય. પરંતુ વ્હીપ જારી કરવા છતાં જેજેપીના પાંચ ધારાસભ્યો ગૃહમાં પહોંચ્યા હતા. જો કે, આ તમામ ધારાસભ્યો ડોકિયું કરીને તરત જ ગૃહ માંથી બહાર નીકળી ગયા હતા.
અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુ પણ ગૃહની બહાર આવી ગયા હતા. હરિયાણા વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા 90 છે. જ્યારે ભાજપ પાસે કુલ 41 ધારાસભ્યો છે. જ્યારે બહુમતનો આંકડો 46 છે. આવી સ્થિતિમાં, જેજેપીના તમામ 10 ધારાસભ્યો (પાંચ ગૃહમાં આવ્યા ન હતા જ્યારે પાંચ ગૃહમાંથી પાછા ફર્યા હતા) અને એક અપક્ષ ધારાસભ્યની બહાર નીકળવાથી, વિધાનસભામાં કુલ સંખ્યા હવે 79 થઈ ગઈ છે. જે મુજબ બહુમતનો આંકડો 40 છે. જ્યારે ભાજપ પાસે ગૃહમાં 41 ધારાસભ્યો છે.
નાયબ સિંહ સૈનીએ ગતરોજ હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મંગળવારે મનોહર લાલ ખટ્ટરે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી જ રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે નાયબ સિંહ સૈનીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સૈની ઉપરાંત કંવરપાલ ગુર્જર અને મૂળચંદ શર્માએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. કંવરપાલ મનોહર પાર્ટ-2 સરકારમાં શિક્ષણ પ્રધાન હતા, જ્યારે મૂળચંદ શર્મા અગાઉની સરકારમાં પરિવહન પ્રધાન હતા. આ ઉપરાંત રણજીત સિંહ, જયપ્રકાશ દલાલ અને ડૉ.બનવરી લાલે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.
આગામી લોકસભા ચૂંટણી પહેલા મંગળવારે હરિયાણાના રાજકારણમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો. સીએમ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આના થોડા સમય બાદ ભારતીય જનતા પાર્ટી રાજ્ય એકમના અધ્યક્ષ નાયબ સિંહ સૈનીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech