દેશના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં વરસાદના કારણે 10,000 લોકોએ પોતાના ઘર છોડ્યા : એરફોર્સને બચાવ કામગીરીમાં તૈનાત
બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ગતરાત્રે ભારે વરસાદના કારણે થયેલા વિનાશમાં મૃત્યુઆંક વધીને 29 થઈ ગયો છે, જ્યારે 60 અન્ય લોકો હજુ પણ લાપતા છે. રાજ્યની નાગરિક સંરક્ષણ એજન્સીએ આ માહિતી આપી હતી. એજન્સીએ અગાઉ વરસાદને કારણે 13ના મોત અને 21 ગુમ થયાની માહિતી આપી હતી. બાદમાં તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે અને 60 લોકો ગુમ છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ગુરુવારે સ્થાનિક અધિકારીઓ સાથે મુલાકાત કરવા અને તેમની એકતા વ્યક્ત કરવા રાજ્યની મુલાકાત લીધી હતી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું. સોમવારથી શરૂ થયેલો વરસાદ શુક્રવાર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. સુરક્ષા અધિકારીઓએ ફસાયેલા લોકોની મદદ માટે બ્રાઝિલની એરફોર્સને બચાવ કામગીરીમાં તૈનાત કરી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા.
દક્ષિણ રાજ્યની કટોકટી માટે કેબિનેટની બેઠક 1 મેના રોજ મળી હતી. એક નિવેદનમાં લેફ્ટનન્ટ ગવર્નર ગેબ્રિયલ સોઝાએ કહ્યું કે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બચાવવાની પ્રાથમિકતા છે. રેસ્ક્યુ ઓપરેશન હેઠળ 130 થી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સૂઝાએ કહ્યું કે એલર્ટની સ્થિતિમાં ડેમ વિશે ખાસ ચિંતા છે, સતત વરસાદને કારણે પૂરનું જોખમ છે. તેમણે કહ્યું કે આસપાસના વિસ્તારોના રહેવાસીઓને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMસિહોર નગરપાલિકા ચીફ ઓફિસર સામે ધરણા, ગાંધીગીરી અને ખુલ્લો મોરચો
May 09, 2025 04:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech