આંતરરાષ્ટ્રીય ચંદ્ર સંશોધન સ્ટેશન તમામ દેશો માટે ખુલ્લું રહેશે : અમેરિકાના પ્રતિબંધો બાદ રશિયન સ્પેસ એજન્સીએ ૨૦૨૫ સુધીમાં બનાવશે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન
રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે ચંદ્ર પર ઓટોમેટેડ ન્યુક્લિયર રિએક્ટર બનાવવા માટે ચીન સાથે કામ કરવાની યોજના જાહેર કરી છે. ખાસ વાત એ છે કે આ રિએક્ટરને ચંદ્ર પર માણસને મોકલ્યા વગર જ ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ ઓપરેશન બંને દેશો દ્વારા સંયુક્ત રીતે સંચાલિત કરવામાં આવશે. બેઝનું નામ ઈન્ટરનેશનલ લુનર રિસર્ચ સ્ટેશન હશે. લાઈવ સાયન્સના રિપોર્ટ અનુસાર, ચીનનું કહેવું છે કે આઈએલઆરએસ તમામ દેશો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો માટે ખુલ્લું રહેશે.
જો કે, ચીની સ્પેસ એજન્સી કેન્સા સાથેના બગડતા સંબંધો અને રોસકોસ્મોસ સાથેના તાજેતરના તણાવને કારણે, નાસાના અવકાશયાત્રીઓને ભાગ્યે જ આ બેઝની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવે છે. યુક્રેન પર હુમલાને લઈને અમેરિકાએ રશિયા પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. તેના જવાબમાં રશિયન સ્પેસ એજન્સીએ ૨૦૨૫ સુધીમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.
રોસકોસ્મોસના ડાયરેક્ટર જનરલ યુરી બોરીસોવે જણાવ્યું કે, અમારા ચીની ભાગીદારો સાથે મળીને અમે ૨૦૩૩-૨૦૩૫ સુધીમાં ચંદ્રની સપાટી પર પાવર યુનિટ સ્થાપિત કરવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. આ પડકારજનક કાર્ય માણસોની હાજરી વિના આપોઆપ થઈ જશે. આને લગતા જરૂરી તકનીકી ઉકેલો લગભગ તૈયાર છે. રોસકોસ્મોસ ચંદ્ર પર જરૂરી સામગ્રીનું પરિવહન કરશે. આ માટે મોટા પાયા પર પરમાણુ સંચાલિત રોકેટના ઉપયોગ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પરમાણુ રિએક્ટર ચંદ્રના આધાર માટે યોગ્ય રહેશે, કારણ કે ત્યાં સોલાર પેનલ દ્વારા પૂરતી ઉર્જા ઉત્પન્ન કરવી અને સંગ્રહ કરવી શક્ય નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech