કાલાવડની શ્રી મુક્તાબેન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓને સંકલ્પ પત્રોનું વિતરણ કરાયું 

  • April 16, 2024 10:02 AM 

કાલાવડની શ્રી મુક્તાબેન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓને સંકલ્પ પત્રોનું વિતરણ કરાયું 

જામનગર તા.૧૬ એપ્રિલ, જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ લોકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે હેતુથી મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની શ્રી મુક્તાબેન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓને સંકલ્પપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોતાના વાલીઓ પાસે સંકલ્પપત્રો ભરાવી મતદાન અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. ઉપરાંત શાળાના શિક્ષકોએ પણ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application