અયોધ્યામાં ઉલ્લાસભેર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે. 500 વર્ષના સંધર્ષ બાદ અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થતા દેશભરમાં હરખ છે. સમગ્ર દેશ રામ ભક્તિમાં લીન થયો છે. અયોધ્યામાં સર્વત્ર રામનામની ગૂંજ સંભળાઇ રહી છે. ત્યારે અયોધ્યાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે તેમની ખુશી વ્યક્ત કરી હતી.
સમગ્ર દેશ રામ ભક્તિમાં લીન થયો છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયાના બીજા દિવસે અયોધ્યા ખાતે લોકોનું કિડીયારું ઉભરાયું છે. સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા અર્થે તંત્ર માટે પણ સ્થિતિ માથાના દુખાવા રૂપ બની છે. તો બીજી તરફ રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે, "અયોધ્યા શહેર દિવ્ય દેખાઈ રહ્યું છે, આ સમયે ત્રેતાયુગની ઝલક જોવા મળી રહી છે. અયોધ્યા ભક્તોના સમૂહથી ભરાઈ ગઈ છે. તેથી ઘણા લોકો અહીં દર્શન માટે હાજર છે. પહેલો દિવસ કે આજે બધા લોકો દર્શન કરી શકશે નહીં. 4000 સંતોનો સમૂહ પણ આવ્યો છે. આજે અયોધ્યા નગરી રામમય દેખાઈ રહી છે."
મહત્વનું છે કે રામ મંદિર ખાતે રામ ભક્તોનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આજે પ્રથમ દિવસે મંદિરના કપાટ ભક્તો માટે ખૂલ્યા હતા. ત્યારે હાલ તો વધતી ભીડ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ અયોધ્યા શહેર અને રામ મંદિર પરિસરમાં ભગવાન રામના દર્શનાર્થે જઇ રહેલા ભક્તોને ધીરજ રાખવા પણ અપીલ કરવામાં આવી રહી છે. આ અયોધ્યાનો માહોલ છે ત્યારે આ માહોલમાં રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે તેમની ખુશી વ્યક્ત કરી હતી. અયોધ્યાના આ માહોલમાં તેમને ત્રેતાયુગ ઝલક જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુતિયાણામાં દારૂ ભરેલો ટ્રક ઘુસાડવાના ગુન્હામાં ઝડપાયેલા ત્રણ ઇસમો લેવાયા પાંચ દિવસના રીમાન્ડ ઉપર
September 28, 2024 06:45 PMવડિયામાં અવિરત મેઘસવારી, સુરવો ડેમ ઓવરફ્લો થતા ત્રણ દરવાજા ખોલાયા , નદી બે કાંઠે વહેતી થઇ
September 28, 2024 06:44 PMપોરબંદર જિલ્લામાં સાર્વત્રિક બે થી ચાર ઇંચ વરસાદ વરસ્યો
September 28, 2024 06:43 PMપોરબંદરમાં નગરપાલિકાનું તંત્ર વહેલી તકે સાંઢીયા ગટર સાફ કરીને બંધ કરાવે તેવી ચેમ્બરે કરી અપીલ
September 28, 2024 06:42 PMકુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર, 4 જવાનો ધાયલ
September 28, 2024 05:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech