આજે ૪ મહિના બાદ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પ્રશ્નોતરી કરવામાં આવી હતી જેમાં શાસક પક્ષના કોર્પોરેટરોએ લાયબ્રેરીમાં કેટલા લોકો આવ્યા, લાયબ્રેરીમાં પુસ્તકો કેટલા સહિતના સામાન્ય કહી શકાય તેવા ૧૭ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા અને બોર્ડનો એક કલાકનો સમય પૂરો કરી દેવામાં આવ્યો હતો. જ્યારે શહેરમાં રોગચાળો,બ્રિજના અધુરા કામ, ટ્રાફિકની સમસ્યા જેવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી ન હતી. આ મુદ્દે વિપક્ષે વોક આઉટ કર્યું હતું.
વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઇએ તેના બદલે સામાન્ય પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે. જ્યાં લોકોના પ્રશ્નોની ચર્ચા કરવાની હોય તેવા રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં હાસ્યાસ્પદ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે.
આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું કે દરેક સભ્યને પોતાનો પ્રશ્ન રજૂ કરવાનો અધિકાર છે આજે બોર્ડમાં ત્રણ પ્રશ્નોની ચર્ચા થઇ છે. ભૂતકાળમાં રોડ રસ્તા,પાણી, સફાઇ અને ઢોર સહિતના મુદ્દે પણ ચર્ચાઓ થઇ ચૂકી છે ત્યારે દરેક સભ્યોને જે યોગ્ય લાગે તે પ્રશ્નો પુછતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજા દિવસે પણ 'કલ્કી 2898 એડી'ની બોક્સ ઓફિસ પર ધમાલ, કર્યું આટલા કરોડનું કલેક્શન
June 30, 2024 11:56 PMગુજરાત: ગોધરામાં NEETની ગેરરીતિ મામલે મોટો ઘટસ્ફોટ, સ્કુલ સંચાલકન ધરપકડ બાદ થયા ખુલાસા
June 30, 2024 11:54 PM‘પાજી બે પેગ વધુ તો નથી થઈ ગયા ને ?’, કપિલ શર્માની આ પોસ્ટ પર ફેન્સના ફની રીએક્શન થયા વાઇરલ
June 30, 2024 11:53 PMટીમ ઈન્ડિયાની જીત બાદ જાણો આલિયા કેમ થઈ રહી છે ટ્રોલ, ફેન્સ રાહાની મમ્મીથી થયા નારાઝ
June 30, 2024 11:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech