રાજસ્થાન : અજમેર શરીફ દરગાહ પાસે 4 માળની ઇમારત થઇ ધરાશાયી, ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા

  • January 02, 2024 06:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દરગાહ પાસે 4 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. કાટમાળ નીચે ચારથી પાંચ લોકો દટાયા હોવાની આશંકા છે. આ ઘટના દરગાહના ગેટ નંબર 5 પાસે બની હતી. અહીં અચાનક એક ઈમારત ધરાશાયી થઈ ગઈ. માહિતી મળતાની સાથે જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્થિતિને જોતા કલેક્ટર અને એસપી સહિત તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વધારાની પોલીસ ટીમ અને બચાવ ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application