મુનવ્વર ફારુકી અને કોન્ટ્રોવર્સી બંનેનો એકબીજા સાથે જુનો સંબંધ છે. બિગ બોસ 17માં પણ આ વિવાદોએ મુનવ્વરને છોડ્યો ન હતો. પરંતુ તેમ છતાં આ બધા વિવાદો છતાં મુનવ્વર ફારૂકીએ 'બિગ બોસ' ટ્રોફી જીતી લીધી. હવે મુનવ્વર ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે અને પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરી છે.
પ્રખ્યાત કોમેડિયન અને બિગ બોસ સીઝન 17ના વિજેતા મુનવ્વર ફારૂકીને મુંબઈ પોલીસે હુક્કાબારમાં દરોડા દરમિયાન અટકાયતમાં લીધો હતો. તેમના સિવાય મુંબઈ પોલીસે દરોડા દરમિયાન 6 અન્ય લોકોની પણ અટકાયત કરી હતી. જો કે પૂછપરછ બાદ મુનવ્વર ફારૂકીને છોડી મુકવામાં આવ્યો છે.
મતલબ કે મુનવ્વરને પોલીસે થોડાં જ સમયમાં છોડી મૂક્યો છે. મુનવ્વરની નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે, મુનવ્વર હાલમાં તેના નવા પ્રોજેક્ટ માટે મુંબઈની બહાર જઈ રહ્યો છે.
પોતાની અટકાયતના સમાચાર બાદ મુનવ્વર ફારૂકીએ ખુદ એરપોર્ટ પરથી પોતાની એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું છે કે હું થાકી ગયો છું પરંતુ મુસાફરી કરી રહ્યો છું. એક તરફ મુનવ્વર અને તેની ટીમ એ બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે આ દરોડા સાથે તેમનો કોઈ સંબંધ નથી, તો બીજી તરફ આ દરોડા સાથે સંકળાયેલા એક અધિકારીએ નિવેદનમાં કહ્યું છે કે, “અમારી ટીમે હુક્કાબાર પર દરોડા પાડ્યા હતા. હુક્કાના નામે તમાકુનો ઉપયોગ થતો હોવાની બાતમી મળ્યા બાદ મુંબઈમાં રેડ પાડી હતી. ત્યાંથી મળી આવેલી વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે અને અટકાયત કરાયેલા લોકોમાં ફારૂકી પણ સામેલ છે.
માત્ર કરી હતી પૂછપરછ
હકીકતમાં મુંબઈ પોલીસની સમાજ સેવા શાખાએ દરોડા પાડતા હુક્કાબારમાંથી લગભગ સાત લોકોની અટકાયત કરી હતી. પોલીસ તમામને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સવાલોના જવાબ આપ્યા બાદ પોલીસે મુનવ્વર ફારૂકીને છોડી મૂક્યો હતો. જો કે મુનવ્વર દ્વારા આ મામલે કોઈ ઓફિશિયલ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech