ફરી પોતાના નિવેદનથી ફસાયા રાહુલ ગાંધી, PM નરેન્દ્ર મોદીને “ખિસ્સાકાતરુ” કહેવા પર ચૂંટણી પંચ લેશે એક્શન

  • December 21, 2023 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આજે (21 ડિસેમ્બર) વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની “ખિસ્સાકાતરુ” ટિપ્પણીને લઈને દિલ્હી હાઈકોર્ટ તરફથી ફટકો પડ્યો છે. કોર્ટે કહ્યું કે તેમણે આવા નિવેદનો ન કરવા જોઈએ. દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચને આઠ સપ્તાહની અંદર આ મામલે નિર્ણય લેવાનો પણ નિર્દેશ આપ્યો છે.


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદી વિરુદ્ધ “ખિસ્સાકાતરુ” અને “પનોતી” મોદી જેવી ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ 21 નવેમ્બરે કહ્યું હતું કે, PM એટલે પનૌતી મોદી. મોદી ટીવી પર આવીને હિન્દુ-મુસ્લિમ કહે છે અને ક્યારેક ક્રિકેટ મેચ જોવા જાય છે. તેની હાર થઈ તે અલગ વાત છે.


તેમણે આગળ કહ્યું, “મોદીનું કામ તમારું ધ્યાન અહીં-ત્યાં વાળવાનું છે. આના જેવા બે “ખિસ્સાકાતરુ” છે, એક આવે છે, તમારી સામે તમારી સાથે વાત કરે છે, તમારું ધ્યાન ભટકાવે છે. ત્યાં સુધીમાં કોઈ બીજું તમારું ખિસ્સું કાપી જાય છે." રાહુલ ગાંધીએ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની હારને લઈને પીએમ મોદી વિરુદ્ધ આ ટિપ્પણી કરી હતી. આ મેચ જોવા માટે પીએમ મોદી પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા.


પીટીશનર ભરત નાગરે હાઈકોર્ટને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ 22 નવેમ્બરે એક ભાષણ આપ્યું હતું જેમાં વડાપ્રધાન સહિત સર્વોચ્ચ સરકારી હોદ્દા પર રહેલા વ્યક્તિઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેમને “ખિસ્સાકાતરુ” તરીકે ઓળખાવ્યા હતા. આ સમગ્ર મામલાને લઈને ભાજપ ચૂંટણી પંચ સુધી પહોંચી હતી અને ત્યારબાદ પંચે રાહુલ ગાંધીને કારણ બતાવો નોટિસ ફટકારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application