સવારમાં લાઈનો: પ્રથમ બે કલાકમાં ૯.૮૭% મતદાન

  • May 07, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મતદાન શરૂ થવાની પ્રક્રિયાની જાણે રાહ જોઈને બેઠા હોય તેમ મોટી સંખ્યામાં મતદારો એ આજે સવારના સાત વાગ્યાથી ૯:૦૦ વાગ્યા સુધીના પ્રથમ બે કલાકમાં ૯.૮૭ ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન બનાસકાંઠા બેઠકર પર ૧૨.૨૮ ટકા અને સૌથી ઓછું અમદાવાદ વેસ્ટમાં ૭.૨૩ ટકા થયું છે.સવારથી મોટાભાગના મતદાન મથકોએ લોકો લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા ઉનાળાની ગરમીના કારણે સવારના મતદાન કરી લેવાની માનસિકતાના કારણે આજે મોટાભાગના મતદાન મથકો એ લાઈનો જોવા મળી હતી. મતદાનનો પ્રારભં શાંતિપૂર્ણ વાતાવરણમાં થયો છે અને રાયમાં કયાંય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લગતી કોઈ મોટી ફરિયાદો થઈ નથી. બનાસકાંઠાના વાવ તાલુકાના એટા અને કલ્યાણપુરમાં દોઢ કલાક સુધી ઇલેકટ્રોનિક વોટિંગ મશીન બગડી ગયા હતા અને તેના કારણે મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ ખાતે આવેલ નિશાન વિધાલયમાં પોતાનો  મત આપ્યો હતો. આવી રીતે ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલે શીલજમાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નારણપુરા વિસ્તારમાં આવેલ સબ સોનલ ઓફિસમાં પોતાનું મતદાન કયુ હતું. મધ્યપ્રદેશના ગવર્નર મંગુભાઈ પટેલે નવસારીમાં, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શીલજ ખાતેની પ્રાઇમરી સ્કૂલમાં, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે નોર્થ ગુજરાત સ્કૂલમાં મતદાન કયુ છે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રીઓ પુષોત્તમ પાલા અને મનસુખભાઈ માંડવીયા સહિત અનેક નેતાઓના ભાવિ આજે સાંજ સુધીમાં ઈવીએમ માં કેદ થઈ જશે.

રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ પાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ અમરેલીમાં મતદાન કયુ હતું. જયારે રાજકોટ બેઠકમાં કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી અને અંજલિ બેન પાણી ,સાંસદ રામભાઈ મોકરીયા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ધનસુખભાઈ ભંડેરી સહિતનાઓ એ પણ સવારના મતદાનની પ્રક્રિયા પૂરી કરી હતી.

સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહેલી ૨૬ લોકસભાની બેઠકના મતદાન અન્વયે આજરોજ લોકશાહીને ઉજાગર કરવા વહેલી સવારથી જ અનેરો થનગનાટ જોવા મળી રહયો છે અને શહેરી વિસ્તારમાં મતદાનનો ધીમો પણ મક્કમ પ્રારભં થયો છે.લોકો નિર્ભય બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે સમગ્ર ચૂંટણીતત્રં દ્રારા ચૂસ્ત અને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને કોઇપણ અનીચ્છનીય બનાવ ન બને તે માટે તત્રં સજાગ અને સક્રિય છે.


પીએમ મોદીએ કરી મતદાનની અપીલ
આપણા દેશમાં દાનનું ખૂબ મહત્વ છે અને તે જ ભાવનાથી દેશવાસીઓએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ. ગુજરાતમાં મતદાર તરીકે આ એકમાત્ર જગ્યા છે યાં હત્પં નિયમિતપણે મતદાન કં છું અને અમિતભાઈ અહીંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application