@ જામનગર સહિત ગુજરાતની 6 જેટલી લોકસભા બેઠક પર આગામી પહેલી મે અને બીજી મેના રોજ એટલે કે ગુજરાતના સ્થાપના દિવસથી ભાજપના સૌથી દિગ્ગજ અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીની ચૂંટણી સભાઓ સાથે ઝંઝાવાતી લોકસભા ચૂંટણી પ્રચાર શરૂ થશે. જામનગર લોકસભા બેઠક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 2 મે ના રોજ જંગી જાહેર સભાને સંબોધશે.
જામનગર સહિત ગુજરાત ભરમાં 25 જેટલી લોકસભા બેઠકો પર આગામી 7 મેના રોજ મતદાન યોજવાનું છે ત્યારે હવે મતદાનની ઘડીઓ નજીક ગણાઈ રહી છે એવા સમયે ગુજરાત માં માસ્ટર સ્ટ્રોક લગાવવા માટે નરેન્દ્ર મોદી ખુદ મેદાને આવશે અને પેલી મેં એટલે કે ગુજરાતના સ્થાપના દિવસથી નરેન્દ્ર મોદી દ્વારા જનજાવતી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવશે જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તળાવમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાથમિક જાણવા મળતી વિગતો મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 અને 2 મેં ના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં પીએમ મોદી 6 જેટલી સભાઓને સંબોધિત કરશે. 1 લી મેં ના રોજ ડીસા, હિંમતનગર બે જનસભા મેં સંબોધિત કરશે જ્યારે
2 જી મે ના રોજ જામનગર, આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢ ખાતે જનસભાને સંબોધિત કરશે.
મહત્વનું છે કે હાલ સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલા મામલે રાજપૂત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને રાજપૂતો દ્વારા ભાજપ વિરૂદ્ધ અસ્મિતા ધર્મરથ ઠેર ઠેર ફેરવવામાં આવી રહ્યો છે. એવા સમયે જ્યારે ભાજપના સૌથી લોકપ્રિય નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં પહેલી અને બીજી મેના રોજ પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આવા સમયે ભારતીય જનતા પાર્ટી માટે નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારને લઈને પણ એક મોટી ચેલેન્જ સમાન સાબિત થશે.
સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ જામનગર લોકસભા બેઠક પર સંભવિત જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક જંગી ચૂંટણી સભાને સંબોધન કરશે. મહત્વનું છે કે જામનગર લોકસભા બેઠક પર જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાનો સમાવેશ થતો હોય, ત્યારે આ બેઠક પર ઝંઝાવાતી ચૂંટણી પ્રચારને લઈને સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતાં સાંસદ પૂનમબેન માડમને પણ ખૂબ મહત્વનો ફાયદો થશે.
જોકે ગુજરાત ભાજપના મોવડીમંડળ દ્વારા જામનગર લોકસભા બેઠક પર પ્રધાનમંત્રીની ચૂંટણી સભાને લઈને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા તેમજ જામનગર મહાનગર ભાજપ અધ્યક્ષ અને સંગઠન સાથે વાતચીત કર્યા બાદ સ્થળ નક્કી કરવામાં આવી શકે છે. પરંતુ જામનગર લોકસભા બેઠક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાને લઈને હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech