અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી કોયલ ગીતાબેન રબારી દ્વારા ગાયેલું ભજન 'શ્રી રામ ઘર આયે...' ટ્વીટ કર્યું છે. ગીતા રબારી તેમના લોકગીતોના કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે, તેમના વિદેશોમાં કાર્યક્રમો પણ થાય છે જેમાં હજારો-લાખો લોકો ઉમટે છે. ગીતા રબારી નવરાત્રિ સહિતના તમામ તહેવારોમાં ડિમાન્ડમાં રહે છે.
પીએમ મોદીએ લખ્યું છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામ લલાના આગમનની રાહનો અંત આવવાનો છે. સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો તેમના જીવન અને ગૌરવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રભુ રામનું સ્વાગત કરવા માટે ગીતાબેન રબારીજીનું આ ભજન ખૂબ જ ભાવુક છે.
લોકગાયિકા ગીતાબેન રબારીએ પણ ઈન્સ્ટાગ્રામ પર પીએમ મોદીની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરતા પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે, તમારો પ્રેમ અને આશીર્વાદ મારા બાળપણથી લઈને આજ સુધી મારી સાથે છે, આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજી, આપણા પૂર્વજો અને વડવાઓએ જે સ્વપ્ન માટે 500 વર્ષ સુધી રાહ જોઈ હતી, હવે તમારા અથાક પરિશ્રમ અને પ્રયત્નોએ તેને સાકાર કરી દીધું છે. અમારું ગીત સનાતનની જીત અને શ્રી રામ પ્રત્યેની તમારી અતૂટ શ્રદ્ધાને સમર્પિત છે. જય સિયા રામ!
આ પહેલા બિહારના છપરાની રહેવાસી ગાયિકા સ્વાતિ મિશ્રાના ભજન 'રામ આયેંગે તો આંગના સજ્જાઉગી'થી મંત્રમુગ્ધ થઈને પીએમ મોદીએ આ ભજન પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું. રામ મંદિરના અભિષેકની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. દરમિયાન, બિહારની ગાયિકા સ્વાતિ મિશ્રાનું ભગવાન રામ વિશેનું ભજન 'રામ આયેંગે' દેશભરમાં લોકપ્રિય થઈ રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech