PM મોદી ઓબીસી નહી પણ સામાન્ય ઘાંચી જાતિમાં જન્મ્યા છે : રાહુલ ગાંધી

  • February 08, 2024 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કોંગ્રેસ સાંસદનું અદાણીના નામે ભાજપ પર કર્યો કટાક્ષ ; જાતિ ગણતરીને લઈને પીએમ મોદીને કર્યા સાવલ




કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિને લઈને નવી ચર્ચા શરૂ કરી છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે પીએમ મોદી ઓબીસી કેટેગરીમાં જન્મ્યા નથી. તેમનો જન્મ ગુજરાતની ઘાંચી જ્ઞાતિમાં થયો હતો. આ સમુદાયને વર્ષ ૨૦૦૦માં ભાજપ દ્વારા ઓબીસીનો ટેગ આપવામાં આવ્યો હતો. તેમનો જન્મ સામાન્ય જાતિમાં થયો હતો. કેન્દ્રની ભાજપ સરકારની ટીકા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ (પીએમ મોદી) ક્યારેય જાતિ ગણતરી કરવા દેશે નહીં કારણ કે તેઓ ઓબીસીમાં જન્મ્યા નથી, તેઓ સામાન્ય જાતિમાં જન્મ્યા છે.


રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીની જાતિના નામે લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે હું જાણું છું કારણ કે પીએમ મોદી ક્યારેય ગરીબો, ખેડૂતો અને પછાત વર્ગના લોકોનો હાથ પકડતા નથી. તેઓ માત્ર અદાણીનો હાથ પકડે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે દેશમાં ભયંકર સામાજિક અન્યાય થઈ રહ્યો છે. તમે જીએસટી ભરો અને અદાણી જેવા લોકો તેનો આનંદ માણે. કારણ કે અદાણી ખાણો ખરીદે છે, રસ્તાઓ અને પુલો માટે ટેન્ડર લે છે અને મીડિયાને નિયંત્રિત કરે છે. ત્યારે એ જ મીડિયા અમને પૂછે છે કે તમે જાતિ ગણતરીની વાત કેમ કરો છો?


રાહુલે કહ્યું કે “જ્યારે મેં જાતિ ગણતરી અને સામાજિક ન્યાયની વાત કરી તો પીએમ મોદીએ કહ્યું- દેશમાં માત્ર બે જ જાતિઓ છે- અમીર અને ગરીબ. તો હવે તમે (પીએમ મોદી) જવાબ આપો કે તમે કેમાં આવો છો કેમ કે તમે ગરીબ નથી. તમે કરોડોની કિંમતનો સૂટ પહેરો છો. દિવસમાં ઘણી વખત કપડા બદલાવે છે, પછી ખોટું બોલો છે કે હું ઓબીસી વર્ગનો માણસ છું.”



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application