અયોધ્યાના રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે અનેક વીવીઆઇ હાજરી આપવાના છે. આ ઉપરાંત રાભક્તો કિડીયારાની માફક ઉભરાવાના છે. ત્યારે અયોધ્યાના રામમંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દિવસે સમગ્ર અયોધ્યા શહેર સુરક્ષાના અભેદ્ય કિલ્લામાં પરિવર્તિત થઈ જશે. પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ફક્ત તે જ લોકો હાજરી આપી શકશે જેમને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે એન્ટ્રી પાસ પણ આપવામાં આવ્યો છે. તેના પર બનેલા QR કોડ દ્વારા મંદિર પરિસરમાં પ્રવેશ શક્ય બનશે.
આ એન્ટ્રી પાસ અંગે ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામમંદિરથી પ્રવેશ માત્ર આમંત્રણથી જ નહીં થઈ શકે પરંતુ તેની સાથે આપવામાં આવેલ એન્ટ્રી પાસ પણ જરૂરી રહેશે. આ પ્રવેશ પાસ પર ટ્રસ્ટ દ્વારા QR કોડ આપવામાં આવ્યો છે. જ્યારે આ QR કોડ એન્ટ્રી ગેટ પર મેચ થાય ત્યારે જ પ્રવેશ શક્ય બનશે.
શ્રીરામ મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવમાં આમંત્રિત તમામ મહેમાનોની એન્ટ્રી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા જારી કરાયેલા એન્ટ્રી પાસ દ્વારા જ શક્ય બનશે. આથી, એ સ્પષ્ટ થાય છે કે માત્ર આમંત્રણ પત્ર મુલાકાતીઓ માટે પ્રવેશ સુનિશ્ચિત કરશે નહીં. એન્ટ્રી ગેટ પરના QR કોડ સાથે મેચ કર્યા બાદ જ પરિસરમાં પ્રવેશ શક્ય બનશે.
આ એન્ટ્રી પાસમાં મુલાકાતીનું પૂરું નામ, ફોટોગ્રાફ, મોબાઈલ ફોન નંબર, આધાર નંબર અને કેટેગરી વિશેની માહિતી હશે. આ સાથે જ એન્ટ્રી પાસ જારી કરનાર વ્યક્તિની સહી પણ હશે. આ ઉપરાંત એક બાર કોડ હશે. જે ટ્રસ્ટ દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ બાર કોડ મેચ થાય ત્યારે જ મહેમાનો મંદિર પરિસરમાં પ્રવેશી શકશે.
તમને જણાવી દઈએ કે રામ નગરી અયોધ્યામાં હાલમાં ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે વિવિધ વિધિઓ કરવામાં આવી રહી છે. આજે પણ 21 વૈદિક પ્રક્રિયાઓનું આયોજન છે. રામલલાની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે આજે સવારથી જ દેવી-દેવતાઓની પૂજા-અર્ચના સહિતની વિવિધ વિધિઓ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech