સર્વે માટે મંત્રાલય દ્વારા જરી કરાશે નેશનલ પોર્ટલ અને મોબાઈલ એપ, 'હાથ નહીં ફેલાવીએ, ભીખ નહીં માગીએ' સૂત્ર સાથે મોદી સરકારનું નવું લક્ષ્ય
ગરીબી હટાવવા માટે દેશભરમાં સરકાર નવું અભિયાન હાથ ધરી રહી છે, જેના માટે ૩૦ શહેરોથી શરૂઆત કરવામાં આવશે. 'હાથ નહીં ફેલાવીએ, ભીખ નહીં માગીએ' આ સૂત્ર સાથે મોદી સરકારે નવું લક્ષ્ય નક્કી કર્યું છે. ઉત્તરમાં અયોધ્યાથી લઇને પૂર્વમાં ગુવાહાટી અને પશ્ચિમમાં ત્ર્યંબકેશ્વરથી લઈને દક્ષિણમાં તિરુવનંતપરુમ સુધીના શહેરોની પસંદ કરી તેમને 'ભિખારી મુક્ત' કરવાની જાહેરાત કરાઈ છે.
આ યોજના હેઠળ કેન્દ્ર સરકારનું લક્ષ્ય ભીખ માગનારા લોકો તેમાં પણ ખાસ કરીને મહિલાઓ અને બાળકોનો સર્વે કરાવી તેમનું પુનર્વસન કરાવશે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનું લક્ષ્ય આ ૩૦ શહેરોમાં એ હોટસ્પોટની ઓળખ કરવાનું છે જ્યાં ગરીબો વધુ ભીખ માંગે છે. ૨૦૨૬ સુધીમાં આ શહેરોને ભિખારીઓથી મુક્ત બનાવવા જિલ્લા તથા નગર નિગમના અધિકારીઓને કેન્દ્ર સમર્થન આપશે.
૩૦ શહેરોમાં સરવે કરાવવા માટે મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં એક નેશનલ પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરાશે જેથી ભીખ માંગી જીવન ગુજરાતા લોકોનો ડેટા તૈયાર કરી શકાય. ૩૦ શહેરોમાંથી ૨૫ શહેરોમાં ટારગેટ એચિવ કરવાનો પ્લાન મળી ગયો છે. કાંગડા, કટક, ઉદયપુર અને કુશીનગર માટે પ્લાનિંગ થઇ ગયું છે. ઉપરાંત રસપ્રદ વાત એ છે કે ભોપાલના સાંચી શહેરના અધિકારીઓએ મંત્રાલયને કહ્યું છે કે તેમના ક્ષેત્રમાં ભીખ માગનાર કોઈ વ્યક્તિ જ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech