નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા સુચના કરવામાં આવતા પીએસઆઇ એમ.વી. ભાટીયા અને સ્ટાફ દ્વારા આ દીશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમ્યાનમાં મઘ્ય પ્રદેશના જાંબવા જીલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનના લુંટના ગુનાને અંજામ આપનાર મુખ્ય સુત્રધાર આરોપી મુકેશ રમણ મોહનીયા રહે. હાલ ગોરખડી ગામ, તા. જામજોધપુર, મુળ સુથીયા જાલમ ગામ (એમપી) વાળો ગોરખડી સીમ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડે ત્યાં તપાસ કરીને આરોપી મુકેશને દબોચી લીધો હતો. અને આગળની કાર્યવાહી માટે જાંબવા જીલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.