aajkaal@team
પરમ પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક વિધિ સાથે ધામધૂમથી ઉજવવાનું આયોજન.
તળાજા નજીક આવેલ કુંઢડા કોટિયા ગામથી ચાર કિમી ના અંતરે બાવવાળાની ડુંગર ગીરીમાળાઓમાં બ્રહ્મલીન મોહનગીરીબાપુના સમાધિસ્થાન તેમજ મહંત લહેર ગીરીબાપુની તપસ્થળી તેમજ મૌનેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ ગૌધામ કોટીયા કુંઢડા ખાતે પરમ પવિત્ર શ્રાવણ માસના નિમિત્તે દર સોમવારે સવા ત્રણ લાખ મહામૃત્યુંજય મંત્રો દ્વારા વિદ્વાન ભૂદેવોના મંત્રોચ્ચારથી તેમજ ગાયના ઘી ની આહુતિ સાથે યજ્ઞ યોજાશે. આ ઉપરાંત પૂજન, આરતી, દર્શન અને ભોજન પ્રસાદ વ્યવસ્થાઓને પહોંચી વળવા માટે સ્વયંસેવકો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. મૌનેશ્વર મહાદેવને રોજ રુદ્રાભિષેક કરવામાં આવશે.તેમજ દરરોજ ગૌ પૂજન વગેરે જેવા કાર્યક્રમો યોજાશે.
અહીં વાંસમાંથી બનાવવામાં આવેલ વિશાળ યજ્ઞશાળામાં યજ્ઞ થશે. જેનો ધર્મ લાભ લેવા સૌ ભાવિકોને જણાવ્યું છે. આ ઉપરાંત અહીં શ્રાવણ માસના દરેક સોમવારે રાત્રિના ખ્યાતનામ ભજનીકો, કલાકારોના ભજન અને સત્સંગના કાર્યક્રમો પણ યોજાશે.આ ત્રિવેણી સંગમનો લાભ લેવા અહીંના થાણાપતી મહંત શ્રી લહેરગીરીબાપુ તેમજ સેવક સમુદાય દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેનશાહની સરળતા: શબ્દના ખોટા ઉચ્ચાર બદલ માફી માગી
September 20, 2024 02:46 PM'સ્ત્રી 2'ના 'આઈ નહીં'ના કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ,કોર્ટમાં રજુ કરાશે
September 20, 2024 02:44 PMઆઈ–ખેડૂત પોર્ટલ પરનો ઘસારો ખાળવા તબક્કાવાર ખુલ્લું મુકાશે
September 20, 2024 02:43 PMસૂર્યાએ રજનીકાંતથી ડરીને 'કંગુવા'ની રિલીઝ ડેટ બદલી
September 20, 2024 02:34 PM'સ્ત્રી 3'માં રાજકુમાર સાથે શ્રદ્ધા જ હશે
September 20, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech