આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 127મી જન્મજયંતિ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ તેમજ ઉપરાષ્ટ્રપતિએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. આ તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ નેતાજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. જોકે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર મમતાદીદી કેન્દ્ર સરકારને આડે હાથ લેવાનું ચૂક્યા નહોતા.
સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિના કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, આ દેશ માટે શરમજનક બાબત છે કે આજે પણ આપણે નથી જાણતા કે નેતાજી સાથે શું થયું, નેતાજી સુભાષ ચંદ્ર બોઝના ગુમ થયાના આટલા વર્ષો પછી પણ લોકો નથી જાણતા કે તેમની સાથે શું થયું અને તેમની મૃત્યુની તારીખ શું છે. ભાજપે સત્તામાં આવતા પહેલા નેતાજીના ગુમ થવાની તપાસ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ તેમના વચનને ભૂલી ગયા છે. એટલું જ નહીં મમતા દીદીએ એમ પણ કહ્યું હતું કે તેમણે 20 વર્ષથી નેતાજીની જન્મજયંતિને રાષ્ટ્રીય રજા બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. આથી, તેમણે માફી માંગી.
આ સાથે જ મમતા દીદીએ રામલલ્લાના અભિષેક સમારોહને લઈને કેન્દ્રીય કાર્યાલયમાં અડધા દિવસની રજાની જાહેરાત પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ દિવસોમાં રાજકીય જાહેરાતો માટે રજા જાહેર કરવામાં આવે છે. પરંતુ દેશની આઝાદી માટે લડનારા લોકો માટે કંઈ જાહેર કરવામાં આવતું નથી. આમ, અડધા દિવસની રજાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech