આજે ભારત સરકારે 23મી ઓગસ્ટને 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. સરકારે આજે (14 ઓક્ટોબર) આ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ 23 ઓગસ્ટ 2023ના રોજ વિક્રમ લેન્ડરના ઉતરાણ અને પ્રજ્ઞાન રોવર સાથેના મિશનની સફળતાની યાદમાં દેશભરમાં દર વર્ષે 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે.
નોટિફિકેશનમાં સરકારે કહ્યું છે કે 23 ઓગસ્ટ એ સ્પેસ મિશનમાં દેશની પ્રગતિમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તે યુવા પેઢીને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM)માં તેમની રુચિ વધારવા માટે પ્રેરિત કરે છે અને અવકાશ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન પૂરું પાડે છે. આ ઐતિહાસિક મિશનના પરિણામોથી આવનારા વર્ષોમાં માનવજાતને ઘણો ફાયદો થશે.
23મી ઓગસ્ટના રોજ દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે ઇસરોનું ચંદ્ર મિશન 23 ઓગસ્ટે પૂર્ણ થયું ત્યારે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. ચંદ્રયાનના સફળ ઉતરાણ સાથે, ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી ચંદ્ર પર પહોંચનાર વિશ્વનો ચોથો દેશ બન્યો, જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત પ્રથમ દેશ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMચારધામ દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માતગે માઠા સમાચાર, ભારે વરસાદના એલર્ટ બાદ યાત્રા મોકૂફ
July 06, 2024 11:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech