'પદ્માવત'માં અલાઉદ્દીન ખિલજીના રોલ માટે રણવીર સિંહ નહી, આ દિગ્ગજ કલાકર હતા ભણસાલીની પહેલી પસંદ

  • March 21, 2023 01:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'પદ્માવત'માં રણવીર સિંહે પોતાની જબરદસ્ત એક્ટિંગથી ચાહકોના દિલ જીતી લીધા હતા. જોકે તેના બહુ ઓછા ચાહકો જાણતા હશે કે આ ફિલ્મમાં 'અલાઉદ્દીન ખિલજી'ના રોલ માટે તે ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની પહેલી પસંદ નથી. ફિલ્મના દિગ્દર્શક રણવીર સિંહ પહેલા બોલિવૂડના અન્ય દિગ્ગજ કલાકારને ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા.

અહેવાલ મુજબ, જ્યારે સંજય લીલા ભણસાલીએ 'પદ્માવત' બનાવવાનું નક્કી કર્યું હતું, ત્યારે તેઓ અજય દેવગનને ફિલ્મના સૌથી દમદાર રોલ 'અલાઉદ્દીન ખિલજી'ના રોલમાં લેવા માંગતા હતા, પરંતુ અજય દેવગન તેની બીજી ફિલ્મમાં વ્યસ્ત હતો. આ કારણે તેને 'પદ્માવત'ની તારીખોની સમસ્યા હતી અને અજય દેવગણે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. અજય દેવગણે ના પાડ્યા બાદ સંજય લીલા ભણસાલીએ રણવીર સિંહને તે રોલ માટે સાઈન કર્યો હતો. રણવીર સિંહે તેના શાનદાર અભિનયથી પાત્રને અમર કરી દીધું. અજય દેવગનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.

'પદ્માવત'ને પહેલા 'પદ્માવતી' નામ આપવામાં આવ્યું હતું જેનો કેટલાક સંગઠનોએ વિરોધ કર્યો હતો અને બાદમાં આ ફિલ્મને 'પદ્માવત' તરીકે રજૂ કરવામાં આવી હતી અને દર્શકોએ આ ફિલ્મને અપેક્ષા કરતાં વધુ પ્રેમ આપ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application