નસીરુદ્દીન શાહે 'ધ ​​કેરળ સ્ટોરી'ને ગણાવી 'ખતરનાક ટ્રેન્ડ', કહ્યું- 'જોઈ પણ નથી અને ક્યારેય આ ફિલ્મ જોઇશ પણ નહી'

  • June 01, 2023 07:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફિલ્મ નિર્માતા વિપુલ શાહની 'ધ કેરાલા સ્ટોરી' ઘણી પ્રશંસા મેળવી રહી છે. વિવાદોમાં હોવા છતાં પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. જોકે અભિનેતા નસીરુદ્દીન શાહ આ ફિલ્મને એક અલગ જ દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે. તે કહે છે કે તે આ ફિલ્મ જોવા નથી માંગતા.


નસીરુદ્દીન શાહ કહે છે કે 'આફવાહ', 'ભીડ' અને 'ફરાઝ' જેવી મહાન ફિલ્મો બોક્સ-ઓફિસ પર મરી ગઈ, પરંતુ 'ધ કેરળ સ્ટોરી' જેવી ફિલ્મ મોટા પડદા પર ધમાલ મચાવી રહી છે. તે કહે છે કે કેટલાક લોકો આ ફિલ્મ વિશે મોટી-મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ ન તો તેણે હજુ સુધી આ ફિલ્મ જોઈ છે અને ન તો તે જોવા માંગે છે.


નસીરુદ્દીન શાહે આગળ આ વલણને જર્મનીમાં નાઝીવાદ સાથે જોડ્યું છે. તેમનું કહેવું છે કે હિટલરના સમયમાં સરકાર કે નેતાઓ ફિલ્મ નિર્માતાઓને પોતાના પર ફિલ્મો બનાવવા માટે કહેતા હતા, જેમાં તેમના વખાણ કરવામાં આવતા હતા અને બતાવવામાં આવતા હતા કે સરકારે દેશના લોકો માટે શું કર્યું છે. આ કારણે ઘણા ફિલ્મમેકર્સ જર્મની છોડીને હોલીવુડ જતા હતા અને ત્યાં ફિલ્મો બનાવતા હતા. અત્યારે અહીં પણ એવું જ થઈ રહ્યું છે.


અદા શર્મા સ્ટારર ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'ની સ્ટોરી જોરદાર હોવા છતાં પણ તે રિલીઝ પહેલાથી જ ચર્ચામાં હતી અને  રિલીઝ થયાને કેટલાંક અઠવાડિયાં વીતી ગયાં છતાં પણ આ ફિલ્મને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, વિવાદો વચ્ચે પણ દર્શકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે. ઘણા લોકો આ ફિલ્મ વિશે સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો તેને 'પ્રોપેગન્ડા ફિલ્મ' ગણાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application